Uttarkashi Tunnel Rescue: શ્રમિકોના બહાર આવવાની પ્રતિક્ષા થઈ પૂરી..41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. બચાવ ટુકડીઓ સુરંગની ઉપરથી ખનન અને વર્ટિકલ ડ્રિલિંગ કરી રહી છે. 41 શ્રમિકો છેલ્લા 17 દિવસથી ટનલમાં ફસાયેલા છે. તેમણે બચાવવાના અને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉત્તરકાશીમાં ટનલમાંથી 41 શ્રમિકોના બહાર નીકળવાની રાહ દેશભરમાં જોવામાં આવી રહી હતી. જે અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરકાશીમાં ટનલમાંથી 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવી ગયા છે. શ્રમિકો 17 દિવસ પછી ટનલમાંથી બહાર આવ્યા છે. અને દેશભારમાં શ્રમિકોના બહાર નીકળવાની ખુશી જોવા મળશે.
41 શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બહાર કાઢવામાં આવેલા 41 શ્રમિકો માટે એમ્બુલન્સ પહોંચી ગઇ છે, શ્રમિકોને એમ્બુલન્સમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. આ શ્રમિકોને બહાર કાઢ્યા પછી તેમણે ઋષિકેશ એઇમ્સ ખાતે લઈ જવામાં આવશે. આ શ્રમિકોને 24 કલાક સુધી તબીબની નજર હેઠળ રાખવામાં આવશે. બધા જ શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ટનલમાં ફસાયેલા શ્રમિકોના પરિવારજનો તથા દેશવાસીઓની ચિંતાનો અંત આવી ગયો છે. ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે. દેશભરમાં આ શ્રમિકોના બહાર આવની રાહ જોવામાં આવી રહી હતી. 17 દિવસ પછી આ રેસ્ક્યુ ઓપરેશન પૂરું થયું છે.
આ પણ વાંચો - Uttarkashi Tunnel Rescue : શ્રમિકો માટે એરલિફ્ટની તૈયારી, ચિનૂક હેલિકોપ્ટર તૈનાત, AIIMS એલર્ટ પર