Israel-Hamas યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden પહોંચ્યા ઈઝરાયેલ, જાણો શું કહ્યું
ગત મોડી રાત્રીએ ગાઝાની હોસ્પિટલમાં થયેલા હુમલા બાદ આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયેલ પહોંચી ગયા છે. જો બાઈડેને ઈઝરાયેલ પહોંચવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. આવી સ્થિતિમાં તેમની આ મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ બાઈડેનનું સ્વાગત કરવા તેલ અવીવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયેલ પહોંચ્યા
બંનેએ એકબીજાને આલિંગન આપીને શુભેચ્છા પાઠવી હતી અને જો બાઈડેને વિશ્વને ઈઝરાયેલની સાથે ઉભા રહેવાનો સંદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે, ઈઝરાયેલમાં હમાસના હુમલામાં ઘણા અમેરિકનો પણ માર્યા ગયા હતા. ગાઝામાં ઈઝરાયેલની સાથે સાથે ઘણા અમેરિકનોને પણ બંધક બનાવવામાં આવ્યા છે. ઈઝરાયેલની સ્થિતિ પર નજર કરીએ તો આખી દુનિયાની નજર હાલમાં તેલ અવીવ પર ટકેલી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયેલના લોકો સાથે એકતા દર્શાવવા તેલ અવીવ પહોંચ્યા છે. જોકે, ગાઝાની એક હોસ્પિટલમાં મોટા વિસ્ફોટ બાદ પેલેસ્ટિનિયન સત્તાવાળાઓ દ્વારા સમિટ રદ કરવામાં આવી હતી. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિએ અચાનક જોર્ડનનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો.
ગાઝામાં વિસ્ફોટના સમાચાર સાંભળીને દુઃખ થયું
ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને ANI એ જણાવ્યું કે, તેલ અવીવમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, ગઈકાલે ગાઝાની હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટથી હું ખૂબ જ દુખી છું. મેં જે જોયું તેના આધારે, એવું લાગે છે કે અન્ય પક્ષે તે કર્યું છે, તમે નહીં. તેમણે કહ્યું કે ત્યાં ઘણા બધા લોકો છે, મને ખાતરી નથી. તેમણે કહ્યું કે, આતંકવાદી સંગઠન હમાસ 1300થી વધુ લોકોની હત્યા કરી ચૂક્યું છે. જેમાં 31 અમેરિકનોનો પણ સમાવેશ થાય છે. આતંકવાદીઓએ બાળકો સહિત અનેક લોકોને બંધક બનાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, આતંકવાદીઓએ ISIS જેવા અત્યાચારો કર્યા છે.
#WATCH | US President Joe Biden leaves from Ben Gurion Airport. He has arrived in Tel Aviv, Israel amid Israel-Hamas conflict.
(Video Source: Reuters) pic.twitter.com/sj5AyJ7j3L
— ANI (@ANI) October 18, 2023
ઈઝરાયેલ માટે આ પ્રવાસ ઘણો મહત્વનો છે
જો બાઈડેનની આ મુલાકાત ઈઝરાયેલ માટે પણ ઘણી મહત્વની છે. ઈઝરાયેલમાં તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી. એરપોર્ટની બહાર પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 1400 લોકો માર્યા ગયા હતા. આ પછી, ઈઝરાયેલના વળતા હુમલામાં ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 3 હજાર લોકોના મોત થયા છે.
હોસ્પિટલ પર મિસાઈલ હુમલામાં 500 લોકોના મોત થયા
ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર મિસાઈલ હુમલામાં 500 લોકોના મોત થયા હતા. જો કે, જો બાઈડેન તેમનો પ્રવાસ મુલતવી રાખ્યો ન હતો અને ઈઝરાયેલ પહોંચી ગયો હતો. તેમણે નિશ્ચિતપણે જોર્ડનનો તેમનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. પેલેસ્ટિનિયન વહીવટીતંત્રનું કહેવું છે કે ગાઝાની હોસ્પિટલોમાં ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા છે. જોકે, ઈઝરાયેલનું કહેવું છે કે આ પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ ઓર્ગેનાઈઝેશનના નિષ્ફળ મિસાઈલ પરીક્ષણનું પરિણામ છે. ઈઝરાયેલે હોસ્પિટલ પર મિસાઈલ છોડી નથી.
આ પણ વાંચો - Israel Hamas War : જોર્ડને બેઠક રદ કરી, ઈરાન-તુર્કીએ ચેતવણી આપી… ગાઝા હોસ્પિટલના હુમલાએ બિડેનની મુશ્કેલી વધારી…!
આ પણ વાંચો - Israel-Hamas યુદ્ધ બન્યું વધુ આક્રમક, ગાઝાની હોસ્પિટલ પર થયો હવાઈ હુમલો, 500 લોકોના મોતનો દાવો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે