Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amit Shah : દુનિયાના બધા દેશો સાથે મળીને ભારત પર હુમલો કરે તો પણ...! 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah)  ગુજરાત (Gujarat)ના તેમના વતન ગામ માણસા પહોંચ્યા હતા. અમિત શાહે આજે અહીં તેમની માતાની યાદમાં ચલાવવામાં આવતા "કુસુમ બા અન્ન ક્ષેત્ર" રસોડામાં પરિવાર સાથે ભોજન લીધું હતું. આ લંચનો એક વીડિયો પણ સામે...
06:42 PM Aug 13, 2023 IST | Vipul Pandya
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah)  ગુજરાત (Gujarat)ના તેમના વતન ગામ માણસા પહોંચ્યા હતા. અમિત શાહે આજે અહીં તેમની માતાની યાદમાં ચલાવવામાં આવતા "કુસુમ બા અન્ન ક્ષેત્ર" રસોડામાં પરિવાર સાથે ભોજન લીધું હતું. આ લંચનો એક વીડિયો પણ સામે આવ્યો છે . આ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અન્ય લોકો સાથે બેસીને ભોજન લેતા જોવા મળે છે. આ દરમિયાન તેમની આસપાસ ઘણા નાના બાળકો અને વડીલો પણ બેઠા  છે જેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. જણાવી દઈએ કે અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં 'હર ઘર તિરંગા' અભિયાનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

 

સુરક્ષા આપવાની જવાબદારી યુવાનોની
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે અમદાવાદમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે યુવાનોને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તમામ દેશો મળીને ભારત પર હુમલો કરે, તો તે સફળ ન થાય તે પ્રકારની સુરક્ષા આપવાની જવાબદારી યુવાનોની છે."
દેશ માટે જીવવાનો જુસ્સો અતૂટ હોવો જોઈએ
આ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે માણસાના ચંદ્રસર ગામમાં જીર્ણોદ્ધાર ચાલી રહેલા તળાવની મુલાકાત લીધી હતી. તળાવના બ્યુટીફિકેશન બાદ એમ્ફી થિયેટર, ઓપન લાયબ્રેરી સહિતની અનેક સુવિધાઓ લોકો માટે ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, 'તળાવના નવીનીકરણથી વિસ્તારના પાણીના સ્તરમાં તો વધારો થશે જ, પરંતુ સ્વચ્છ પર્યાવરણનો પણ લાભ મળશે.' તેમણે કહ્યું કે જ્યારે દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવશે ત્યારે આખો દેશ તિરંગો બની જશે. આઝાદી મળ્યા પછી ભલે દેશ માટે મરવું જરૂરી ન હોય, પરંતુ દેશ માટે જીવવાનો જુસ્સો અતૂટ હોવો જોઈએ.

પીએમની લોકોને અપીલ 
રાષ્ટ્રીય તહેવારના આગલા તબક્કા માટેનો રોડમેપ શેર કરતા અમિત શાહે કહ્યું કે 'સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ' 15 ઓગસ્ટ, 2023ના રોજ સમાપ્ત થશે. ત્યારબાદ તેમણે જાહેરાત કરી કે ત્યારપછીના 15 ઓગસ્ટ 2047 સુધીના સમયગાળાને 'સ્વતંત્રતાના અમૃત કાલ' તરીકે ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે આ તબક્કો આઝાદીના 75 થી 100 વર્ષની યાત્રાને ચિહ્નિત કરશે. તમને જણાવી દઈએ કે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી. પીએમએ લોકોને અપીલ કરી કે તમામ દેશવાસીઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના ડીપી પર ત્રિરંગો લગાવે.
અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ 
તેમણે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે 85 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમિત શાહે તમામ લોકોને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાનો અનુરોધ કર્યો હતો. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે, "નવ વર્ષમાં નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. પીએમ ભારતને 11માથી પાંચમા સ્થાને લાવ્યા છે."
આ પણ વાંચો---12 લાખ કરોડના ગોટાળાવાળાને કોણ વોટ આપે એટલે તેમણે નામ બદલી નાખ્યું : અમિત શાહ
Tags :
Amit ShahGujaratIndiaPakistan
Next Article