Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar માં 16 IAS અધિકારીઓની બદલી, અમૃત લાલ મીણાએ મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો

બિહારમાં શનિવારે મોટો વહીવટી ફેરબદલ કરાયો 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી લોકેશ કુમાર સિંહને નાણા વિભાગના સચિવ બનાવાયા બિહાર (Bihar)માં શનિવારે મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. હરજોત કૌરને સમાજ...
bihar માં 16 ias અધિકારીઓની બદલી  અમૃત લાલ મીણાએ મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો
  1. બિહારમાં શનિવારે મોટો વહીવટી ફેરબદલ કરાયો
  2. 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી
  3. લોકેશ કુમાર સિંહને નાણા વિભાગના સચિવ બનાવાયા

બિહાર (Bihar)માં શનિવારે મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. હરજોત કૌરને સમાજ કલ્યાણ વિભાગના એસીએસ બનાવવામાં આવ્યા છે. સંતોષ મોલને જળ સંસાધન વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકેશ કુમાર સિંહને નાણા વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે.

Advertisement

તેમને મોટી જવાબદારી મળી...

પ્રેમ સિંહ મીણાની મગધ વિભાગના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રતિમા સતીશ વર્માને સાયન્સ ટેક્નોલોજી સેક્રેટરી બનાવવામાં આવી છે. પંકજ કુમારને ઉર્જા વિભાગના સચિવ અને વીરેન્દ્ર પ્રસાદ યાદવને કૃષિ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ ઉપરાંત દયાનિધન પાંડેને આર્ટ કલ્ચરના સચિવ, આશિમા જૈનને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ અને સંજય કુમાર સિંહને કોમર્શિયલ ટેક્સ વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Haryana માં મતદાન અને ગણતરીની તારીખ બદલાઈ, હવે આ દિવસે મતદાન થશે

અમૃતલાલ મીણાએ મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો...

દરમિયાન, વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી અમૃતલાલ મીણાએ શનિવારે બિહાર (Bihar)ના નવા મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ બ્રજેશ મેહરોત્રાનું સ્થાન લેશે, જેઓ 31 ઓગસ્ટે નિવૃત્ત થયા હતા. મીણા 1989 બેચના અધિકારી, અગાઉ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર હતા. અગાઉ, શુક્રવારે કેબિનેટની નિમણૂક સમિતિએ નીતીશ કુમાર સરકારની વિનંતી પર કેન્દ્રીય કોલસા મંત્રાલયમાં સચિવ તરીકે ફરજ બજાવતા મીણાને બિહાર (Bihar) પરત ફરવાની મંજૂરી આપી હતી. નવો ચાર્જ સંભાળ્યા બાદ મીણાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેઓ અગાઉ રાજ્યના માર્ગ બાંધકામ વિભાગમાં અધિક મુખ્ય સચિવ અને અન્ય મહત્વના પદો પર રહી ચૂક્યા છે.

Advertisement

આ પણ વાંચો : Bihar : કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર હુમલો, જનતા દરબારમાં તેમને મુક્કો મારવાનો પ્રયાસ...

તાજેતરમાં 14 IAS ની બદલી કરવામાં આવી છે...

આ પહેલા બુધવારે (28 ઓગસ્ટ) બિહાર (Bihar) સરકારે 14 IAS અધિકારીઓની બદલી કરી હતી. જેમાં 11 જિલ્લાઓમાં નવા ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર (DDC)ની નિમણૂંક કરવામાં આવી હતી અને 3 IAS અધિકારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બદલીઓમાં પટણાના એસડીએમ શ્રીકાંત કુંડલિક ખાંડેકરનો પણ સમાવેશ થાય છે, જેમને ભારત બંધ દરમિયાન કોન્સ્ટેબલ દ્વારા આકસ્મિક રીતે દંડા વડે માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Vinesh Phogat પહોંચી શંભુ બોર્ડર, ખેડૂતોનું કર્યું સમર્થન, કહ્યું- તેમને જોઈને દુઃખ થાય...

Tags :
Advertisement

.