ICG નું હેલિકોપ્ટર પોરબંદરથી 45 કિમી દૂર થયું ક્રેશ, 2 જવાનો શહીદ
બચાવ કામગીરી માટે કામ કરતું Helicopter થયું ક્રેશ
Porbandar થી 45 કિમી દુર દરિયામાં Helicopter ક્રેશ થયું
કોસ્ટગાર્ડે 4 જહાજ અને બે એરક્રાફ્ટ તહેનાત કર્યાં છે
helicopter crashes off Gujarat coast : ગુજરાતના Porbandar જિલ્લા નજીક આવેલા અરબી સમુદ્રમાં એક દુર્ઘટના સર્જાય છે. ગુજરાતમાં કટોકટીની પરિસ્થિતમાં રાહત અને બચાવ કામગીરી માટે કામ કરતું Helicopter અરબી સમુદ્રમાં ક્રેશ થયું હતું. તાજેતરમાં આ Helicopter નો કાટમાળ મળી આવ્યો હતો. આ દુર્ઘટના દરમિયાન Helicopter માં ભારતીય કોસ્ટગાર્ડના બે પાઇલટ સવાર હતા. તેની સાથે રેસક્યૂ કરનાર એક ડાઇવર પણ મુસાફરી કરી રહ્યો હતો.
Porbandar થી 45 કિમી દુર દરિયામાં Helicopter ક્રેશ થયું
મળતી માહિતી મુજબ Helicopter માં સવાર બે જવાનો શહિદ થયા છે. તેમજ એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે હજુ એક લાપતા છે. Porbandar થી 45 કિમી દૂર દરિયામાં Helicopter ક્રેશ થવાની ઘટનામાં બે જવાનો શહિદ થયા હોવાનું કહેવાય છે. ક્રેશ થયેલા હેલીકોપ્ટરના કાટમાળને Porbandar લાવામાં આવ્યો છે. Porbandar થી 45 કિમી દુર દરિયામાં હરિલીલા જહાજમાં મેડીકલ ઇમરજન્સી માટે મદદે ગયેલું કોસ્ટગાર્ડનુ Helicopter કોઇ કારણોસર ક્રેશ થયું હતું.
On 02 Sep 2024, @IndiaCoastGuard ALH helicopter was launched at 2300 hrs to evacuate an injured crew member from the Motor Tanker Hari Leela off #Porbandar, #Gujarat. The helicopter had to make an emergency hard landing and ditched into sea. One crew member recovered, search for…
— Indian Coast Guard (@IndiaCoastGuard) September 3, 2024
આ પણ વાંચો: Gujarat High Court એ જૂનાગઢ મનપાના કમિશનરનો ઉધડો લીધો
કોસ્ટગાર્ડે 4 જહાજ અને બે એરક્રાફ્ટ તહેનાત કર્યાં છે
ઇન્ડિયન કોસ્ટગાર્ડનું (ICG) Helicopter અરબી સમુદ્રમાં ઓઈલના ટેન્કર પર એક કર્મચારી ઈજાગ્રસ્ત હતો. તેને રેસક્યૂ કરવા માટે જઈ રહ્યું હતું. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેશ લેન્ડિંગ બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા ક્રુ મેમ્બરનો બચાવ થયો હતો. પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે. જેની માહિતી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. ગુજરાતમાં પૂર સંબંધિત ઓપરેશનમાં કોસ્ટગાર્ડે 4 જહાજ અને બે એરક્રાફ્ટ તહેનાત કર્યાં છે.
આ પણ વાંચો: સરકારી મુહિમ હેઠળ 6 સપ્ટેમ્બરે સુરતથી જલસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ થવાનો