સફાઈ કર્મચારીઓના મોત મામલે હાઈકોર્ટની લાલઆંખ
ગુજરાત હાઇકોર્ટએ શું આપ્યો આદેશ
હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે ગટર સફાઈ કમદારોના મોતના મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે. કર્મચારીઓને ગટરમાં ઉતરતા રોકવામાં આવે. ગટર કામદારોની સ્થિતિ અંગે તમામ કોર્પોરેશન અને સત્તાધીશો વિગતવાર જવાબ રજૂ કરશે. આ ઉપરાંત મૃતકોને આપવામાં આવતા વળતર મામલે પણ હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. સરકારનો નિયમ હોવા છતાં પણ કર્મચારીઓ ગટરમાં ઉતરે તે યોગ્ય નહી હોવાનું હાઇકોર્ટે અવલોકન નોંધ્યું છે.
શું હતી અરજદારની રજૂઆત
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે આ કામગીરીમાં મૃતકોને વળતર ચુકવણી માટે માનવ ગરીમાં સંસ્થા દ્વારા હાઇકોર્ટમાં 152 મૃતકો લોકોની યાદી અપાઈ હતી. જેમાંથી 137 મૃતકોના પરિવારોને વળતર અપાયુ હોવાની રાજ્ય સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે સરકારની જવાબદારી છે કે ગટર કામદારો દ્વારા શારિરીક રીતે થતું કામ સદંતર બંધ થાય. જો આવી કોઈ ઘટના ઘટે તો મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નર, નગર પાલિકામાં ચીફ ઓફિસર તથા ગ્રામ પંચાયતનાં સરપંચ સીધી રીતે જવાબદાર હશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.હાઇકોર્ટે સરકારને આ મુદ્દે 19 જૂન સુધી વિગતવાર જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે જ 19 જૂન સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખવા પણ હાઇકોર્ટે ટકોર કરી છે.
આ પણ વાંચો- હાટકેશ્વર બ્રિજ કૌંભાંડનાં આરોપીઓને સેસન્સ કોર્ટે રાહત આપવાનો કર્યો ઇન્કાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ -કલ્પીન ત્રિવેદી, અમદાવાદ