પિતાએ જ દીકરીનું ઢીમ ઢાળી દીધું, મટન કાપવાના છરાથી 17 ઘા માર્યા
સુરત જિલ્લામાંથી એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. અહીં એક પિતાએ દીકરીની નિર્મમ હત્યા કરી છે. આ ઘટના કેમ ઘટી તે જાણીને તો તમે વધુ ચોંકી જશો, જ્યા એક નાની બાબત હત્યામાં પરિણમી. મળતી માહિતી અનુસાર, એક પરિવારમાં સુવા બાબાતે એવો ઝઘડો થયો જેમા પિતાએ તેમની દીકરીને મટન કાપવાના છરાથી મારી નાખી. પિતાએ દીકરીને 17 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
સૂવાની બાબતને લઇને ખૂની ખેલ ખેલાઈ ગયો
કહેવાય છે કે, પિતા દીકરીના પહેલા હીરો હોય છે. આ દુનિયામાં દીકરી પોતાના પિતાના હોવાના કારણે પોતાને સુરક્ષિત સમજતી હોય છે. પરંતુ આનાથી વિરુદ્ધ સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં જોવા મળ્યું હતું. જ્યા એક પરિવારમાં પિતાએ જ દીકરીને એવી મોત આપી કે કોઇપણના રૂંવાટા ઉભા થઇ જાય. ઘટના કડોદરામાં રહેતા એક પરિવારની છે જ્યા એક સૂવાની બાબતને લઇને ખૂની ખેલ ખેલાઈ ગયો. કડોદરામાં સત્યમનગર વિસ્તારમાં એક પરિવાર કે જેના મુખિયા રામાનુજ શાહુ તેમની પત્ની રેખાદેવી, એક દીકરી (ચંદા શાહુ) અને ત્રણ દીકરા (સૂરજ, ધીરજ અને વિશાળ) સાથે રહે છે. પરિવાર આમ તો બિહારનો છે પણ ઘણા વર્ષોથી અહીં તેઓ રહે છે. રામાનુજ શાહુ એક મિલમાં મજૂરીકામ કરતો હતો. હાલમાં ગરમીના કારણે રામાનુજની પત્નીએ ધાબા પર સૂવા જવાની જીદ કરી પણ રામાનુજે તેની ના પાડી દીધી અને કહી દીધુ કે ધાબા પર નથી સુવા જવાનું, અહીં નીચે જ સુવાનું છે. આ બાબતે ઝઘડો શરૂ થયો જે એટલો ઉગ્ર બન્યો કે તે ઘરની બહાર ચાલ્યો ગયો અને ધારદાર છરો લઇને આવ્યો અને કહ્યું કે, આજે તો મારી નાખીશ.
રામાનુજના ત્રણેય દીકરાઓ અને પત્ની થયા ઈજાગ્રસ્ત
આ ઝઘડો વધ્યો અને રામાનુજે છરા વડે હુમલો કર્યો અને પત્નીની આંગળીઓ કાંપી નાખી. આ દરમિયાન દીકરાઓ આવી ગયા અને વચ્ચે પડી ઝઘડો શાંત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ રામાનુજ પર તો જાણે શેતાન સવાર હતો તેમ તેણે તેના દીકરાઓ પર પણ હુમલો કર્યો, જેમા તેના ત્રણેય દીકરાઓ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ વચ્ચે રામાનુજના હાથમાં તેની દીકરી આવી જતા તેણે ઉપરા ઉપરી છરાના 17 ઘા ઝીંકી નાખ્યા અને તેને મોતને ઘાટ ઉતારી દીધી.
પોલીસે કરી ધરપકડ
સમગ્ર ઘટનામાં રામાનુજની પત્ની અને તેના ત્રણેય દીકરાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થયા બાદ પોલીસ દોડી આવી અને હત્યા કરનાર રામાનુજની ધરપકડ કરી. રામાનુજની દીકરી ચંદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - બાબાના ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસે કહ્યું : ભાજપ જનતાનું ધ્યાન ભટકાવે છે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ