Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર રાજકોટના પરિવારે લગાવ્યો આ ગંભીર આરોપ

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા જ અલગ-અલગ વિવાદો થઇ રહ્યા છે. પરસોત્તમ પીપળિયા બાદ હવે રાજકોટના એક પરિવારે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર એક આરોપ લગાવ્યો છે. આ પરિવારનો દાવો છે કે,...

Advertisement

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા જ અલગ-અલગ વિવાદો થઇ રહ્યા છે. પરસોત્તમ પીપળિયા બાદ હવે રાજકોટના એક પરિવારે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર એક આરોપ લગાવ્યો છે. આ પરિવારનો દાવો છે કે, તેમના 15 વર્ષના બાળકને આંચકીની તકલીફ હોવાથી તેને તેઓ બાગેશ્વરધામમાં દિવ્ય દરબારમાં લઇ ગયા હતા. જ્યા બાબાએ બાળકની દવાઓ બંધ કરવાનું કહ્યું હતું, જે બાદથી બાળકની તબિયત લથડી હતી અને તે હાલમાં ગંભીર સ્થિતિમાં આવી ગયો છે. હાલમાં આ બાળક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

આ પણ વાંચો - બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી પર ટિપ્પણી કરતા પરસોત્તમ પીપળિયાને મળી ધમકી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.