Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Supreme Court : અકુદરતી મૃત્યુનો રિપોર્ટ દાખલ કરવાનો સમય કેટલો છે..?

RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી અકુદરતી મૃત્યુનો રિપોર્ટ દાખલ કરવાનો સમય કેટલો છે - CJI કોલેજથી પ્રિન્સિપાલના ઘરનું અંતર કેટલું છે - CJI Supreme Court on Kolkata Case : RG...
supreme court   અકુદરતી મૃત્યુનો રિપોર્ટ દાખલ કરવાનો સમય કેટલો છે
  • RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી
  • અકુદરતી મૃત્યુનો રિપોર્ટ દાખલ કરવાનો સમય કેટલો છે - CJI
  • કોલેજથી પ્રિન્સિપાલના ઘરનું અંતર કેટલું છે - CJI

Supreme Court on Kolkata Case : RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court on Kolkata Case)માં ચાલી રહી છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની સાથે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. આ દરમિયાન કપિલ સિબ્બલે પશ્ચિમ બંગાળ રાજ્ય વતી સુપ્રીમ કોર્ટમાં સિલબંધ કવરમાં રિપોર્ટ જમા કરાવ્યો છે. માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાના વિરોધમાં ડોક્ટરોની હડતાળ દરમિયાન 23 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Advertisement

સુપ્રીમ કોર્ટે આ મામલાની સુઓ મોટો સંજ્ઞાન લીધી હતી

અગાઉ, આ કેસની પ્રથમ સુનાવણી 22 ઓગસ્ટના રોજ યોજાઈ હતી જ્યારે કોર્ટે આ કેસની સુઓ મોટો સંજ્ઞાન લીધી હતી. છેલ્લી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે ડોકટરો, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ પર વિચારણા કરવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી હતી. સર્વોચ્ચ અદાલતે CISFને હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તે જ સમયે, કોર્ટે સીબીઆઈ તેમજ બંગાળ સરકારને 15 ઓગસ્ટના રોજ આરજી કાર હોસ્પિટલમાં વિરોધ દરમિયાન થયેલી ટોળાની હિંસા અને તોડફોડની તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો----Kolkata rape નો આરોપી સંજય કોર્ટ સમક્ષ કરગરવા.....

Advertisement

અકુદરતી મૃત્યુનો રિપોર્ટ દાખલ કરવાનો સમય કેટલો છે - CJI

CJIએ પૂછ્યું કે અકુદરતી મૃત્યુનો રિપોર્ટ દાખલ કરવાનો સમય શું છે? આ અંગે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે રિપોર્ટ બપોરે 2:55 વાગ્યે ફાઈલ કરવામાં આવ્યો હતો અને મૃત્યુનું પ્રમાણપત્ર 1:47 વાગ્યે જારી કરવામાં આવ્યું હતું.

કોલેજથી પ્રિન્સિપાલના ઘરનું અંતર કેટલું છે - CJI

સુનાવણી દરમિયાન CJIએ પૂછ્યું કે પ્રિન્સિપાલના ઘર અને કોલેજ વચ્ચે કેટલું અંતર છે? તેના પર સોલિસિટર જનરલે કહ્યું કે અંતર લગભગ 15-20 મિનિટનું છે.

Advertisement

એક મહિનો પૂરો થતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા

દરમિયાન, ભારતીય પ્રવાસીઓએ રવિવારે 25 દેશોના 130 શહેરોમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલા તાલીમાર્થી ડૉક્ટર માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી. 9 ઓગસ્ટે બનેલી આ ભયાનક ઘટનાને એક મહિનો પૂરો થવા પર મધ્યરાત્રિએ કોલકાતામાં પણ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધીઓએ માનવ સાંકળ રચી અને ત્રીજા 'રીક્લેમ ધ નાઈટ' વિરોધ માર્ચમાં પીડિતા માટે ન્યાયની માંગ કરી. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, “બંગાળના મુખ્યમંત્રી કોઈ કામના નથી. તેમને માત્ર પોતાની ખુરશી બચાવવાની ચિંતા છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે મોટા વિરોધ પ્રદર્શન કરીશું.

CBI 17 સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરશે

પીડિતાના માતા-પિતાએ તાજેતરમાં કહ્યું હતું કે તેમની પુત્રીના ઉતાવળા અગ્નિસંસ્કારને છુપાવવા માટે કોલકાતા પોલીસ દ્વારા તેમને લાંચની ઓફર કરવામાં આવી હતી. હાલમાં આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે જે 17 સપ્ટેમ્બરે કલકત્તા હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી આ મામલે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. સરકારે આ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો----Kolkata Case માં પીડિતાના પરિવારનો મોટો દાવો, કહ્યું- ‘પોલીસે કેસ દબાવવાનો કર્યો પ્રયાસ’

Tags :
Advertisement

.