Dwarka : સ્વામિનાયારણ પુસ્તક વિવાદ, ગુંગળી બ્રહ્મ સમાજે આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો
- સ્વામિનારાયણનાં વિવાદિત પુસ્તકનો મામલો
- પુસ્તકમાં દ્વારકાધીશ ભગવાન વિશે કરાઈ ટિપ્ણી
- દ્વારકા ગુગળી બ્રહ્મ સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું
સ્વામિનારાયણનાં કહેવાતા સંતો દ્વારા અવાર નવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે. જેને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે. થોડા સમય પહેલા ભગવાન દ્વારકાધીશ ભગવાન પર કરાયેલ ટિપ્પણી (Swaminarayan controversial book) ને લઈ સાધુ સંતો તેમજ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકા ખાતે દ્વારકાધીશ પુજારી તેમજ સમસ્ત ગુંગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી હતી. ભગવાન દ્વારકાધીશ (Dwarkadhish Bhagwan) નાં મંદિરેથી નીકળેલી રેલી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત કચેરી પહોંચી હતી. જ્યાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી હતી કે, સાત દિવસમાં આવા વિવાદિત પુસ્તકની હોળી કરવામાં નહી આવે અને દ્વારકા ખાતે આવી દ્વારકાધીશ મંદિર (Dwarkadhish mandir) માં ગુગળી બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
પુસ્તકમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો
પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, 'સ્વામી! મારા કુટુંબીઓ કુસંગી ચે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે તેનું મારે કેમ કરવું? ત્યાં મને ભગવાન દર્શન આપશે? ત્યારે સદગુરૂ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, 'ત્યાં તો ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. ત્યાં સ્વામીનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.' સ્વામીની અનુમતિ લઈ આબાસાહેબ નીકળ્યા તો ખરા પણ સગાવહાલા જે કુસંગી હતા તેમણે દ્વારિકા જવા માટે ખૂબ ટંટો કરી આગ્રહ કર્યો. છેવટે તેમણે દ્વારિકા તરફ પ્રયાણ કર્યું.
પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ શું કહ્યું.
મણિનગર સ્વામિનારાયણ મંદિરનાં ગોપાળસ્વામીનાં વાર્તા પુસ્તકમાં દ્વારકાને બદલે વડતાલ જાઉએ વિવાદિત લખાણનો વિરોધ થયો છે. દ્વારકા પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી (Shankaracharya Swami Sadanand Saraswati) એ આકરી પ્રતિક્રિયા આપી છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પુસ્તકમાં કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા અંગે જે ટિપ્પણી લખવામાં આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુનાં અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર અવતાર લીદાને 5500 વર્ષ થઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો તેને માત્ર 200 થી 250 વર્ષ જેટલો જ સમય થયો છે. સહજાનંદ સ્વામીનાં પૂર્વે કોણ હતું? જે હતું તે સનાતન હતું. સનાતનનાં પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. વજ્રનાભ દ્વારા ભગવાન દ્વારકાધીશનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પણ ત્યાં 52 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: બાપુનગરમાં યુવકની હત્યા, પોલીસ બેદરકારીનો વીડિયો થયો વાયરલ
સ્વામીનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે : મહંત ભાવેશ્વરી માં
વડતાલ (Vadtal) સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદનાં વમળમાં આવ્યો છે. સંપ્રદાયનાં વધુ એક પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતા અંગે વિવાદાસ્પદ લખાણ લખી સનાતન ધર્મને (Sanatan Dharma) અપમાનિત કરવાની કોશિશ કરવામાં આવી હોવાનાં આરોપ થયા છે. 'શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો' નાં પુસ્તકમાં 33 નંબરનાં પાનાં પર દ્વારકામાં ( Dwarka) ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેવો ઉલ્લેખ કરાયો છે. પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ (Swaminarayan Book Controversy) મુદ્દે હવે મોરબીમાં રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માંનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમારી લીટી લાંબી કરવા બીજાની ટૂંકી ના કરો. સ્વામિનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે. સનાતન ધર્મ પર પ્રહાર બંધ કરવા જોઈએ.
આ પણ વાંચોઃ Gondal : 'ગણેશ ગોંડલ ધારાસભ્ય બનશે' અલ્પેશ ઢોલરીયાનો લલકાર, BJP નેતાએ આપ્યો સાંકેતિક જવાબ