Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Epidemic : સતત કેસ વધતાં આ રાજ્યમાં ડેંગ્યુ "મહામારી " જાહેર

કર્ણાટકમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો ઝડપથી વધી રહેલા કેસોને કારણે સિદ્ધારમૈયા સરકાર પણ એક્શન મોડમાં ડેન્ગ્યુને ' મહામારી' જાહેર કરી નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે Epidemic : Epidemic : ચોમાસામાં મચ્છરજન્સ કેસોમાં વધારો થઇ રહ્યો છે....
epidemic   સતત કેસ વધતાં આ રાજ્યમાં ડેંગ્યુ  મહામારી   જાહેર
  • કર્ણાટકમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો
  • ઝડપથી વધી રહેલા કેસોને કારણે સિદ્ધારમૈયા સરકાર પણ એક્શન મોડમાં
  • ડેન્ગ્યુને ' મહામારી' જાહેર કરી
  • નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

Epidemic : Epidemic : ચોમાસામાં મચ્છરજન્સ કેસોમાં વધારો થઇ રહ્યો છે. પાણી ભરાવાના કારણે મચ્છરો ઉત્પન્ન થતાં રોગચાળો ફાટી નીકળે છે ત્યારે કર્ણાટકમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઝડપથી વધી રહેલા કેસોને કારણે સિદ્ધારમૈયા સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને ડેન્ગ્યુને ' મહામારી' (Epidemic)જાહેર કરી છે.

Advertisement

નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે

કર્ણાટકમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થતા સરકારે અધિકારીઓને નિયમોનું પાલન ન કરનારાઓને સજા કરવા માટે કડક સૂચના પણ આપી છે. જે લોકો મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પગલાં લેવામાં નિષ્ફળ જશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો---VADODARA : પાણી-મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ-મેલેરિયાએ માથુ ઉંચક્યુ

Advertisement

રોગચાળાના રોગના નિયમનમાં સુધારો

સરકારે કર્ણાટક એપિડેમિક ડિસીઝ રેગ્યુલેશન 2020 માં સુધારા પણ રજૂ કર્યા છે, જે લોકોને વેક્ટર-જન્ય રોગોના ફેલાવાને રોકવા માટે વધુ જવાબદાર બનવાનો આદેશ આપે છે. આ સુધારો ત્રણ કેટેગરીમાં દંડની દરખાસ્ત કરે છે - ઘરેલું, વ્યાપારી અને સક્રિય બાંધકામ ક્ષેત્ર.

Advertisement

નિયમોનું પાલન ન કરવા પર 2000 રૂપિયા સુધીનો દંડ

શહેરી અને ગ્રામીણ વિસ્તારના ઘરો માટે સરકારી દંડ રૂ. 400 અને રૂ. 200 હશે. વ્યાપારી કાર્યો માટે, શહેરી વિસ્તારોમાં 1,000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 500 રૂપિયા દંડ થશે. મચ્છરો માટે બ્રીડિંગ સ્પેસ આપતા સક્રિય બાંધકામ વિસ્તારોના માલિકોને શહેરી વિસ્તારોમાં રૂ. 2,000 અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1,000નો દંડ કરવામાં આવશે.

આ નિયમોનું પાલન કરવાનું રહેશે

નિયમો મુજબ ઘરેલું મકાનોના માલિકો અને કબજેદારોએ મચ્છરોના પ્રજનનને રોકવા માટે જરૂરી પગલાં લેવાનું ફરજિયાત છે. નોટિફિકેશન મુજબ, લોકોએ મચ્છરોના પ્રજનનને રોકવા માટે પાણીના સંગ્રહના કન્ટેનર, સમ્પ અથવા ઓવરહેડ ટાંકીને ઢાંકણા અથવા અન્ય કોઈપણ સામગ્રીથી ઢાંકવા અથવા સુરક્ષિત રાખવાની ખાતરી કરવી જોઈએ.

આ પણ વાંચો----Gujarat-ડેન્ગ્યુની અટકાયત અને નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ

Tags :
Advertisement

.