Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shreyas Iyer: શ્રેયસ ઐયરની વિસ્ફોટક સદી, મુંબઈને એકતરફી જીત અપાવી

અય્યરે મુંબઈ તરફથી બેટિંગ કરતાં સદી ફટકારી 137 રનની અણનમ ઇનિંગ રમી
shreyas iyer  શ્રેયસ ઐયરની વિસ્ફોટક સદી  મુંબઈને એકતરફી જીત અપાવી
Advertisement
  • મુંબઈએ વિજય હજારે ટ્રોફીની મેચમાં પુડુચેરીને એકતરફી હરાવ્યું
  • શ્રેયસ અય્યરનું બેટીંગ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી
  • અય્યરને ચેમ્પિયન્સ ટ્રોફી માટે મળી શકે છે તક

Shreyas Iyer Century Mumbai: શ્રેયસ અય્યરનું બેટીંગ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. તેમણે વધુ એક જોરદાર ઇનિંગ રમી છે. અય્યરે મુંબઈ તરફથી બેટિંગ કરતાં સદી ફટકારી છે. અય્યરે 137 રનની અણનમ ઇનિંગ રમી છે. મુંબઈએ વિજય હજારે ટ્રોફીની મેચમાં પુડુચેરીને એકતરફી હરાવ્યું છે. મુંબઈએ આ મેચ 163 રને જીતી લીધી હતી. અય્યરના જોરદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે.

Advertisement

Advertisement

અય્યર પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો

અમદાવાદ (Ahmedabad) માં રમાયેલી મેચમાં મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 290 રન બનાવ્યા હતા. આ દરમિયાન અય્યર પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. શ્રેયસ અય્યર અંત સુધી રહ્યો હતો. 133 બોલનો સામનો કરીને તેણે અણનમ 137 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 16 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. અય્યરની સાથે અથર્વે પણ મહત્વની ઇનિંગ્સ રમી હતી. તેણે 43 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ કરી શક્યા ન હતા. તે શૂન્ય પર આઉટ થયો હતો.

Advertisement

આ પણ વાંચો: IND vs AUS 5th Test : હવે તો રોહિત નથી! છતા 185 રનમાં all out, કયું બહાનું કાઢશે ટીમ ઈન્ડિયાના કોચ

મુંબઈએ પુડુચેરીને ખરાબ રીતે હરાવ્યું

મુંબઈએ આ મેચ એકતરફી રીતે જીતી લીધી હતી. મુંબઈને જીતવા માટે 291 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પુડુચેરીની ટીમ 27.2 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન આકાશે 54 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન રમ્યો ન હતો. મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ લીધી હતી. સૂર્યાંશ શેડગે અને આયુષ મ્હાત્રેએ 2-2 વિકેટ લીધી હતી.

અય્યરને ચેમ્પિયન્સ ટ્રોફી માટે મળી શકે છે તક

અય્યર સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે કર્ણાટક સામે પણ સદી ફટકારી હતી. અય્યરે અણનમ 114 રન બનાવ્યા હતા. જ્યારે તેણે હૈદરાબાદ સામે અણનમ 44 રન બનાવ્યા હતા. અય્યરના પ્રદર્શનને જોતા તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. તે ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ ઈંગ્લેન્ડ શ્રેણી માટે ટીમમાં આવી શકે છે.

આ પણ વાંચો: રોહિત શર્મા પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર થતા ગાવાસ્કરે કહ્યું - એક કેપ્ટન તરીકે આ...

Tags :
Advertisement

Trending News

.

×