Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની AIIMS માં દાખલ કરાયા...

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીને બુધવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાને કારણે AIIMS માં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમને AIIMS ના જેરિયાટ્રિક વિભાગના ડૉક્ટરની...
bjp ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી  દિલ્હીની aiims માં દાખલ કરાયા

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીને બુધવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાને કારણે AIIMS માં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમને AIIMS ના જેરિયાટ્રિક વિભાગના ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

Advertisement

તમારી તબિયત કેવી છે?

લાલ કૃષ્ણ અડવાણીના પરિવારે તેમની સ્થિતિ અંગે અપડેટ જારી કર્યું છે. અડવાણીના પરિવારે જણાવ્યું છે કે હાલમાં અડવાણીજીની તબિયત સારી છે. હાલ તેને હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

આ વર્ષે ભારત રત્ન મળ્યો...

અડવાણીને આ વર્ષે ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું અને PM નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્ન એનાયત કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ તેમના આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માન છે.

Advertisement

આ પણ વાંચો : Congress : આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું…

આ પણ વાંચો : ચૂંટણી પૂરી થતાં જ Sam Pitroda ની વાપસી, ફરીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા…

Advertisement

આ પણ વાંચો : શું ખરેખર Rahul Gandhi અને Akhilesh Yadav વચ્ચે મતભેદ છે?, ગૃહમાં જોવા મળ્યા એવા દ્રશ્યો કે…

Tags :
Advertisement

.