Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lalu Yadav : RJD સુપ્રીમો લાલુ યાદવની તબિયત અચાનક બગડી, દિલ્હી AIIMS માં દાખલ...

RJD સુપ્રીમો લાલુ યાદવ (Lalu Yadav)ની તબિયત અચાનક બગડી ગઈ છે. લાલુ પ્રસાદ યાદવને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં લાલુ યાદવ (Lalu Yadav) દિલ્હી AIIMS માં ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. લાલુ અને તેમના પરિવારના સભ્યો...
11:51 PM Jul 23, 2024 IST | Dhruv Parmar

RJD સુપ્રીમો લાલુ યાદવ (Lalu Yadav)ની તબિયત અચાનક બગડી ગઈ છે. લાલુ પ્રસાદ યાદવને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં લાલુ યાદવ (Lalu Yadav) દિલ્હી AIIMS માં ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. લાલુ અને તેમના પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે. મળતી માહિતી મુજબ લાલુ સોમવારે જ પટનાથી દિલ્હી આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે લાલુ પ્રસાદ યાદવનું બીપી લેવલ વધી ગયું છે. હાલમાં દિલ્હી AIIMS ના વરિષ્ઠ ડૉક્ટર રાકેશ યાદવે કહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવની હાલત સ્થિર છે અને તેઓ ઠીક છે.

લાલુનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું...

તમને જણાવી દઈએ કે લાલુ યાદવ (Lalu Yadav)નું વર્ષ 2022 માં મોટું ઓપરેશન થયું હતું અને તેમની કિડની સિંગાપોરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. લાલુ યાદવ (Lalu Yadav) લાંબા સમયથી અનેક બીમારીઓથી પીડિત છે. તેઓ લાંબા સમયથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડિત હતા. વર્ષ 2022 માં લાલુ યાદવ (Lalu Yadav)ને સિંગાપોરના ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. જે બાદ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી અને ત્યારથી તેમની તબિયતમાં સુધારો થયો હતો.

લાલુ યાદવને ઘાસચારા કૌભાંડ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી...

સ્વસ્થ થયા બાદ લાલુ ફરી રાજકારણમાં સક્રિય થયા અને ચૂંટણી દરમિયાન મંચ પરથી ભાષણ પણ આપ્યું. લાલુ યાદવ (Lalu Yadav)ને ઘાસચારા કૌભાંડ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ તેમને રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ હતી. જે બાદ તેમની તબિયત બગડતાં તેમને એરલિફ્ટ કરીને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : NEET-UG 2024 : SC ના નિર્ણય બાદ શિક્ષણ મંત્રીની પ્રથમ પ્રતિક્રિયા, રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર...

આ પણ વાંચો : Accident : ગાયને બચાવવા જતા બે બસો વચ્ચે થયો અકસ્માત, બે લોકોના મોત, 8 થી વધુ ઘાયલ...

આ પણ વાંચો : Budget થી ખુશ નથી રાકેશ ટિકૈત, કહ્યું- આ ફક્ત કાગળ પર, ખેડૂતોને કોઈ ફાયદો નહીં...

Tags :
BIhar NewsGujarati NewsIndialalu yadav admitted in delhi aiimsNationalrajd supremo lalu prasad yadav
Next Article