ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ratan Tata એ 1983 વર્લ્ડકપની જીત પર આપ્યું હતું મહત્વનું યોગદાન

રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું રતન ટાટાએ ભારતના અર્થતંત્રમાં મોટો ફાળો આપ્યો હતો 1983ના વર્લ્ડ કપની જીતમાં મહત્વનું યોગદાન Ratan Tata: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈની કેન્ડી...
01:08 PM Oct 10, 2024 IST | Hiren Dave
Ratan tata 1983 world cup

Ratan Tata: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં તેમનું અવસાન (Ratan Tata Death)થયું. તેમના નિધન પર સમગ્ર દેશમાં શોકની લહેર છે, જ્યાં દરેક લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તેમના નેતૃત્વ અને પરોપકાર દ્વારા ભારતના અર્થતંત્રમાં મોટો ફાળો આપ્યો હતો. જો કે, તેમના ઘણા યોગદાન છે જેના પર વિશ્વનું ધ્યાન ગયું નથી. આમાંથી એક 1983માં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક વર્લ્ડ કપ (1983 world cup) જીત છે.

1983 વર્લ્ડકપની જીતમાં ટાટાનું યોગદાન

1983ની અવિસ્મરણીય જીતમાં રતન ટાટાનો ફાળો નોંધપાત્ર હતો. આ વિજયે ભારતમાં ક્રિકેટને મોખરે લાવ્યું અને પ્રતિભાને ઉછેરવા માટે ટાટાની પ્રતિબદ્ધતા વિના શક્ય ન હોત. તેના કારણે જ ભારતની જીત માટે ત્રણ મહત્વના ખેલાડીઓ તૈયાર થઈ શક્યા. અહીં અમે વાત કરી રહ્યા છીએ મોહિન્દર અમરનાથ, રવિ શાસ્ત્રી અને સંદીપ પાટીલની.

આ પણ  વાંચો -Ratan Tata ના અંતિમ સંસ્કાર પારસી રિવાજ મુજબ કેમ નહી કરાય..?

ભારતમાં ક્રિકેટના વિકાસમાં યોગદાન  કર્યું હતું

તમને જણાવી દઈએ કે 1983 વર્લ્ડ કપ પહેલા મોહિન્દર અમરનાથ એર ઈન્ડિયા માટે જ્યારે સંદીપ પાટીલ ટાટા ઓઈલ મિલ્સ તરફથી રમ્યા હતા. આ સિવાય રવિ શાસ્ત્રી ટાટા સ્ટીલ તરફથી રમતા હતા. આમ, ત્રણેય ખેલાડીઓએ ટાટા દ્વારા સમર્થિત સ્થાનિક ટીમો સાથે શરૂઆત કરી. તે સમયે રતન ટાટા ટાટા ગ્રૂપમાં સંચાલકીય હોદ્દા પર હતા, જે દર્શાવે છે કે ભારતમાં ક્રિકેટના વિકાસમાં તેમણે ભજવેલી મહત્વની ભૂમિકા.

આ પણ  વાંચો -Ratan Tata ના નિધનથી US પણ શોકમગ્ન, સુંદર પિચાઈએ યાદ કરી છેલ્લી મુલાકાત

ટાટા ગ્રુપ સાથે જોડાયેલા છે આ ક્રિકેટરો

ભારતીય ક્રિકેટમાં તેમનું યોગદાન માત્ર આટલું જ મર્યાદિત ન હતું. આ ત્રણ ક્રિકેટરો ઉપરાંત ફારુક એન્જિનિયર (ટાટા મોટર્સ), જવાગલ શ્રીનાથ (ઈન્ડિયન એરલાઈન્સ), સંજય માંજરેકર (એર ઈન્ડિયા), કિરણ મોરે (TCS), રૂસી સુરતી (IHCL), સંદીપ પાટીલ, વીવીએસ લક્ષ્મણ (ઈન્ડિયન એરલાઈન્સ), યુવરાજ સિંઘ (ઇન્ડિયન એરલાઇન્સ), હરભજન સિંઘ (ઇન્ડિયન એરલાઇન્સ), સુરેશ રૈના (એર ઇન્ડિયા), રોબિન ઉથપ્પા (એર ઇન્ડિયા), મોહમ્મદ કૈફ (ઇન્ડિયન એરલાઇન્સ), નિખિલ ચોપરા (ઇન્ડિયન એરલાઇન્સ), ઇરફાન પઠાણ (એર ઇન્ડિયા), આર.પી. સિંહ (એર ઈન્ડિયા), દિનેશ મોંગિયા (ઈન્ડિયન એરલાઈન્સ), અજીત અગરકર (ટાટા સ્ટીલ), રોહન ગાવસ્કર, રમેશ પોવાર અને તાજેતરમાં શાર્દુલ ઠાકુર (ટાટા પાવર) જયંત યાદવ (એર ઈન્ડિયા) અને ઝુલન ગોસ્વામી (એર ઈન્ડિયા) ટાટા ગ્રુપની કંપનીઓ સાથે સંકળાયેલા છે.

Tags :
CricketCricket NewsMohinder AmarnathRatan tata 1983 world cupRatan Tata DeathRatan Tata passes awayravi shastriTeam India
Next Article