Rajkumar Jat Case : ગોંડલની ઘટનાના પડઘા રાજસ્થાનની રાજધાની સુધી પડ્યા, લગાવી ન્યાયની ગુહાર
- ગોંડલ રાજકુમાર જાટ મૃત્યુ કેસ મામલો
- રાજસ્થાનની રાજધાની જયપુરમાં યોજાશે સભા
- ધારાસભ્યો તેમજ સાંસદો દ્વારા CBI તપાસની કરી માંગ
ગોંડલ ખાતે રહેતા રાજકુમાર જાટના મોતને 27 દિવસ વીતી જવા છતાં ફરિયાદ ન નોંધાતા જાટ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એડવોકેટ જયંજ મુડે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી જયપુરમાં જંગી જાહેર સભા યોજવાની જાહેરાત કરી છે.
#JusticeForRajkumarJat न्याय दिलवाने के लिए जयपुर के शहीद स्मारक,कमिश्नरेट जयपुर में आयोजित आक्रोश एवं श्रद्धांजली सभा में अधिक से अधिक संख्या में आकर विरोध दर्ज करवाएं।
स्थान-शहीद स्मारक, पुलिस कमिश्नरेट ,जयपुर
दिनांक- मंगलवार,01 अप्रैल 2025
समय : - सुबह 11.15 बजे pic.twitter.com/lXFwksaPyf
— Sunil Choudhary 🇮🇳 (@jaipursunil_) March 28, 2025
એડવોકેટ જયંત મુંડએ જણાવ્યું હતું કે રાજકુમારને ન્યાય અપાવવા માટેનું આંદોલન રસ્તાથી ગૃહ સુધી ચાલુ રહેશે. અમે સતત જનપ્રતિનિધિઓને સરકારને પત્રો લખવા માટે કહી રહ્યા છીએ અને યુવાનોને પણ મળી રહ્યા છીએ. આ સંદર્ભે, અમે 31 એપ્રિલે X પર #JusticeForRajkumar ટ્રેન્ડ કરીશું અને 1 એપ્રિલે રાજધાની જયપુરમાં આક્રોશ રેલી દ્વારા સરકારનું ધ્યાન દોરશું.
#JusticeForRajkumarJat -जयपुर में एक बार फिर तेजा भक्तों ताकत दिखानी है। गुजरात में आज 26 दिन से UPSC छात्र राजकुमार जाट ह'त्याकांड में आरोपियों के खिलाफ जीरो FIR भी दर्ज नही हुई है।
गुजरात सरकार साफ साफ भाजपा के बाहुबली विधायक को बचाने में लगे हुए है।
इस मामले में… pic.twitter.com/NV7nUd3Zqv— Adv Jayant Moon (@jayantmoond) March 30, 2025
યુપીએસસી વિદ્યાર્થી રાજકુમાર જાટ કેસમાં 27 દિવસ સુધી ઝીરો એફઆઈઆર ન નોંધવીએ ગુજરાત જેવા રાજ્યમાં સ્પષ્ટપણે લોકશાહીની હત્યા છે. આના વિરોધમાં, 01 એપ્રિલ 2025 ના રોજ જયપુરના શહીદ સ્મારક ખાતે એક આક્રોશ સભા યોજાશે અને રાજ્ય સરકાર દ્વારા ગૃહમંત્રી અમિત શાહને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.
UPSC अभ्यर्थी राजकुमार जाट हत्याकांड को लेकर X ट्रेंड , 31 मार्च 2025 को शाम 05.00बजे तय किया गया है। आप सबसे इस न्याय क्रांति युद्ध में सहयोग की अपेक्षा है।#JusticeForRajkumar pic.twitter.com/GxQku8RQwn
— Adv Jayant Moon (@jayantmoond) March 30, 2025
અત્યાર સુધીમાં 25 ધારાસભ્યો અને 4 લોકસભા સાંસદોએ વડા પ્રધાન અને ગૃહમંત્રીને પત્રો લખીને આ મામલે પોતાની માંગણીઓ રજૂ કરી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ પણ આ માંગણી કરી છે. રાજસ્થાન વિધાનસભામાં, કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી, જ્યારે લોકસભામાં, હનુમાન બેનીવાલ અને ઉમ્મેદરામ બેનીવાલે ટેબલ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
રાજસ્થાનના કેબિનેટ મંત્રી કન્હૈયા લાલે પણ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
UPSC अभ्यर्थी राजकुमार जाट हत्याकांड को लेकर X ट्रेंड , 31 मार्च 2025 को शाम 05.00बजे तय किया गया है। आप सबसे इस न्याय क्रांति युद्ध में सहयोग की अपेक्षा है।#JusticeForRajkumar pic.twitter.com/TdwTRdaMMI
— Pyare lal Choudhary (@JATpyarelal0) March 30, 2025
એડવોકેટ જયંત મુંડે જણાવ્યું હતું કે તેને "લોકશાહીની હત્યા" કહેવાનો આધાર એ છે કે પ્રભાવશાળી લોકોના દબાણ હેઠળ, ગુજરાત પોલીસે કેસને અકસ્માત તરીકે રજૂ કર્યો હતો. જ્યારે મૃતકના શરીર પર 40 થી વધુ ઈજાના નિશાન મળી આવ્યા હતા. જે હત્યા તરફ ઈશારો કરે છે. એવો આરોપ છે કે પોલીસે નિષ્પક્ષ તપાસ કરી ન હતી અને પુરાવા દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ મામલે રાજસ્થાન અને ગુજરાતમાં વ્યાપક ગુસ્સો છે અને સીબીઆઈ તપાસની માંગણી જોર પકડી રહી છે.છતાં કોઈ કાર્યવાહી ન થવી એ લોકશાહી માટે ગંભીર ફટકો છે.
આ પણ વાંચોઃ Gondal: રાજકુમાર જાટનું મોત કે હત્યા, બે PM રિપોર્ટમાં અનેક વિસંગતતાઓ, પોલીસની તપાસ શંકાના દાયરામાં
આ કેસ લોકશાહી પર પણ પ્રશ્નો ઉભા કરે છે કારણ કે આમાં કાયદા સમક્ષ બધાની સમાનતા અને ન્યાય વ્યવસ્થાની ન્યાયીતા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો શક્તિશાળી લોકો તપાસને પ્રભાવિત કરી શકે છે તો તે સામાન્ય નાગરિકોના અધિકારો અને વિશ્વાસનું ઉલ્લંઘન છે. ગુજરાત પોલીસનો દાવો છે કે તે એક માર્ગ અકસ્માત હતો, પરંતુ રાજકુમારના પરિવાર અને સમાજના લોકો કહે છે કે આ દાવો ઇજાઓની ગંભીરતા અને સંજોગો સાથે મેળ ખાતો નથી.
આ પણ વાંચોઃ Gun Licence Scam નો સુરેન્દ્રનગર એસઓજીએ કર્યો પર્દાફાશ, 25 હથિયારો અને 21 ગન લાયસન્સ જપ્ત
તેથી આ ઘટના માત્ર એક વ્યક્તિગત દુર્ઘટના નથી પણ તે એવા પ્રશ્નો પણ ઉભા કરે છે કે શું સત્તા અને પ્રભાવ લોકશાહી વ્યવસ્થામાં ન્યાયને હરાવી શકે છે. આ મુદ્દા પર નિષ્પક્ષ તપાસ અને પારદર્શિતા જ સત્ય બહાર લાવી શકે છે.
આ પણ વાંચોઃ Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરી ટિપ્પણી