Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : કરોડો રૂપિયાની ઠગાઈ મામલે ફરાર 4 સ્વામીઓ પર કસાયો સકંજો, ફટકારાઈ આ નોટિસ!

જમીન-મકાનનાં (Rajkot) ધંધાર્થી સાથે રૂ. 3.04 કરોડનો ઠગાઈનો મામલો 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા મામલે છેતરપિંડી કરી હોવાનો આરોપ રાજકોટમાં (Rajkot) જમીન-મકાનનાં ધંધાર્થી સાથે રૂપિયા 3.04 કરોડની છેતરપિંડી મામલે 4 સ્વામીઓ...
rajkot   કરોડો રૂપિયાની ઠગાઈ મામલે ફરાર 4 સ્વામીઓ પર કસાયો સકંજો  ફટકારાઈ આ નોટિસ
  1. જમીન-મકાનનાં (Rajkot) ધંધાર્થી સાથે રૂ. 3.04 કરોડનો ઠગાઈનો મામલો
  2. 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી
  3. મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા મામલે છેતરપિંડી કરી હોવાનો આરોપ

રાજકોટમાં (Rajkot) જમીન-મકાનનાં ધંધાર્થી સાથે રૂપિયા 3.04 કરોડની છેતરપિંડી મામલે 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. ચારેય સ્વામીઓ પર આરોપ છે કે તેમણે અરવલ્લીનાં (Aravalli) બાયડ તાલુકામાં મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા બહાને રાજકોટમાં જમીન-મકાનનાં ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરી હતી. આ સ્વામીઓ પર ગુજરાતમાં અલગ-અલગ પોલીસ મથકમાં 5 જેટલા ગુના નોંધાયેલા છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : કરોડોની છેતરપિંડી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓનો સાગરીત સુરતથી ઝડપાયો

વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ

અરવલ્લીનાં બાયડ (Bayad) તાલુકામાં મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા બહાને સ્વામીનારાયણ સંપ્રદાયનાં માધવપ્રિય ઉર્ફે એમ.પી. સ્વામી, જયકૃષ્ણસ્વામી ઉર્ફ જે.કે. સ્વામી અને દેવપ્રકાશસ્વામી ઉર્ફે દર્શનપ્રિય સહિત ચાર સ્વામી સામે લૂકઆઉટ નોટિસ (Lookout Notice) ઇશ્યૂ કરવામાં આવી છે. હાલ, ચારેય સ્વામી પોલીસ પકડથી દૂર છે. આથી, ચારેય વિદેશ ભાગી ન જાય તે માટે આ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. છેતરપિંડીનાં આ કેસમાં સામેલ શિક્ષક સહિત 3 લોકોની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ રિમાન્ડ પર છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : ફેસબુક થકી પરિચયમાં આવેલા શખ્સે લગ્નની લાલચે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

ચારેય સ્વામી હાલ પણ પોલીસ પકડથી દૂર

જણાવી દઈએ કે, વડતાલ સ્વામિનારાયણ (Vadtal Swaminarayan) સંપ્રદાયનાં સાધુઓ વિરૂદ્ધ જમીન પ્રકરણમાં રૂ. 3.04 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. રાજકોટ પોલીસની EOW ટીમે (Rajkot Police's EOW Team) અગાઉ સ્વામીઓનાં સાગરીત લાલજી ઢોલાની સુરતથી (Surat) ઝડપી પાડ્યો હતો. જ્યારે, ફરિયાદમાં સામેલ ચારેય સ્વામી હાલ પણ પોલીસ પકડથી દૂર છે.

Advertisement

આ પણ વાંચો - Surat : વાલીઓ ચેતજો! જાહેર માર્ગ પર ટ્રાફિકમાં સગીર વિદ્યાર્થીએ હંકારી રિક્ષા, જુઓ વાઇરલ Video

Tags :
Advertisement

.