Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajasthan : ‘મને ભારત આવવા લાયક નથી છોડી…!’ અંજૂએ સંભળાવી પોતાની આપવીતી

ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલી સીમા હૈદરનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન સમાચાર આવ્યા હતા કે ભારતની અંજૂ પાકિસ્તાન ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજૂ તેનો ફેસબુક પ્રેમ મેળવવા માટે ભારતથી પાકિસ્તાનમાં પ્રવેશી છે. હાલમાં જ મીડિયાને આપેલા...
04:55 PM Jul 28, 2023 IST | Dhruv Parmar

ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલી સીમા હૈદરનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન સમાચાર આવ્યા હતા કે ભારતની અંજૂ પાકિસ્તાન ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજૂ તેનો ફેસબુક પ્રેમ મેળવવા માટે ભારતથી પાકિસ્તાનમાં પ્રવેશી છે. હાલમાં જ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં અંજૂએ પાકિસ્તાનની સ્થિતિ વિશે જણાવ્યું છે. અંજૂ કહે છે કે તે હવે ભારત આવી શકે તેમ નથી. જો તે ભારત આવશે તો તેને કોઈ સ્વીકારશે નહીં. તે કયા મોઢે ભારત આવશે! અંજૂએ એવો પણ દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનમાં બિલકુલ સુરક્ષિત છે. તેને ત્યાં કોઈ જોખમ નથી.

પતિ અને બાળકોને છોડીને પાકિસ્તાન પહોંચી

તમને જણાવી દઈએ કે, 21 જુલાઈએ રાજસ્થાનના ભિવાનીની રહેવાસી અંજૂ પોતાના પતિ અને બે બાળકોને છોડીને વાઘા બોર્ડર થઈને પાકિસ્તાનમાં પ્રવેશી હતી, જ્યાં લાહોરથી તેનો ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ તેને રિસીવ કરવા આવ્યો હતો. અંજૂએ તેના પતિને ખોટું કહ્યું કે, તે એક મિત્રને મળવા જયપુર જઈ રહી છે. તે જ સમયે, અંજૂ જે કંપનીમાં કામ કરતી હતી, તેણે તેના સહકર્મીને કહ્યું કે તે તેની બહેન સાથે રહેવા માટે ગોવા જઈ રહી છે.

અંજૂ વાઘા બોર્ડર ઓળંગીને પહોંચી પાકિસ્તાન

દિલ્હી, અમૃતસર અને વાઘા બોર્ડર થઈને પાકિસ્તાનના લાહોર પહોંચેલી અંજૂએ તેના પતિને જણાવ્યું કે તે લાહોર પહોંચી ગઈ છે. જો કે, પતિનું કહેવું છે કે અંજૂને પાકિસ્તાન જવા માટે વિઝા અને પાસપોર્ટની સાથે અન્ય જરૂરી ચીજવસ્તુઓ ક્યાંથી મળી તે અંગે તેની પાસે કોઈ માહિતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજૂએ પાકિસ્તાન જઈને ઈસ્લામ સ્વીકારી લીધો છે. ઈસ્લામના આધારે અંજૂનું નામ બદલીને ફાતિમા રાખવામાં આવ્યું છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/07/Anju.mp4
અંજૂને છે આ વાતનો ડર

અંજૂને એક ભારતીય મીડિયા ચેનલે પૂછ્યું હતું કે, તે ભારત આવવા વિશે શું વિચારે છે. આના પર અંજૂએ કહ્યું કે મારા વિશે જે બતાવવામાં આવી રહ્યું છે, હું બધું જ જાણું છું. હું પાછા આવવાને લાયક નથી. જો હું પાછી આવીશ તો ન તો મારા સંબંધીઓ મને સ્વીકારશે કે ન તો મારા બાળકો મને સ્વીકારશે.

આ પણ વાંચો : દેશનું પહેલું Autonomous underwater vehicle લોન્ચ, Navy, કોસ્ટગાર્ડની તાકત વધશે

Tags :
Accepted IslamAnjuIndiaIndia's Anju married to Pakistani Loverlove affairLove StoryNationalPakistanpakistan newsworld
Next Article