રાહુલ ગાંધી એક્ટિવ મોડમાં, આવતીકાલે સંસદમાં ભાષણ આપશે
રાહુલ ગાંધી (Rahul Gandhi)નું સંસદ (Parliament) સભ્યપદ પુનઃસ્થાપિત થતાં જ તેઓ સક્રિય મોડમાં આવી ગયા છે. તેઓ આવતીકાલે મંગળવારે (8 ઓગસ્ટ) લોકસભામાં કોંગ્રેસ (Congress) વતી અવિશ્વાસ પ્રસ્તાવ (no-confidence motion) પર બોલશે. આવતીકાલે લગભગ 12 વાગ્યે તેઓ લોકસભામાં બોલશે. જણાવી દઈએ...
રાહુલ ગાંધી (Rahul Gandhi)નું સંસદ (Parliament) સભ્યપદ પુનઃસ્થાપિત થતાં જ તેઓ સક્રિય મોડમાં આવી ગયા છે. તેઓ આવતીકાલે મંગળવારે (8 ઓગસ્ટ) લોકસભામાં કોંગ્રેસ (Congress) વતી અવિશ્વાસ પ્રસ્તાવ (no-confidence motion) પર બોલશે. આવતીકાલે લગભગ 12 વાગ્યે તેઓ લોકસભામાં બોલશે. જણાવી દઈએ કે મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ લોકસભા સચિવાલયે કોંગ્રેસના રાહુલ ગાંધીને વાયનાડના સાંસદ તરીકે પુનઃસ્થાપિત કર્યા છે.
રાહુલ ગાંધીની સજા પર રોક
4 ઓગસ્ટના રોજ, સર્વોચ્ચ અદાલતે કેરળના વાયનાડથી લોકસભાના સાંસદ તરીકે તેમના પુનઃસ્થાપિત થવાનો માર્ગ મોકળો કરીને માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી. સંસદનું સભ્યપદ મળતાની સાથે જ રાહુલ ગાંધી પણ સંસદમાં ગયા હતા.
Congress MP Rahul Gandhi to speak in no-confidence motion discussion to be held in Lok Sabha on August 8. He is likely to open the debate from the Congress side in the House tomorrow. pic.twitter.com/bRrGz9mZXM
— ANI (@ANI) August 7, 2023
Advertisement
તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા
રાહુલ ગાંધીને 24 માર્ચે લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ગુજરાતના સુરતમાં મેટ્રોપોલિટન કોર્ટે તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. હકીકતમાં, 7 જુલાઈએ, ગુજરાત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવાની તેમની અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે 15 જુલાઈએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી હતી.
સંસદ સભ્ય તરીકે રાહુલ ગાંધી મંગળવારથી સંસદની કાર્યવાહીમાં હાજરી આપી શકશે અને પોતાની હાજરી નોંધાવી શકશે. લોકસભા સચિવાલયના આ નિર્ણય બાદ કોંગ્રેસના કાર્યકરોએ જોરશોરથી ઉજવણી કરી હતી.
આ પણ વાંચો----137 દિવસ બાદ રાહુલ ગાંધીને તેમની સંસદની સદસ્યતા પરત મળી