Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Qatar : ભારતને મળી મોટી જીત, કતારમાં કેદ 8 ભૂતપૂર્વ ભારતીય સૈનિકોને મુક્ત કરવામાં આવ્યા...

કતાર (Qatar)માં ભારત સરકારને મોટી રાજદ્વારી જીત મળી છે અને કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આઠમાંથી સાત ભારતીયો ભારત પાછા ફર્યા છે. તમામ ભૂતપૂર્વ નવ સૈનિકો દોહામાં અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીમાં...
07:18 AM Feb 12, 2024 IST | Dhruv Parmar

કતાર (Qatar)માં ભારત સરકારને મોટી રાજદ્વારી જીત મળી છે અને કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આઠમાંથી સાત ભારતીયો ભારત પાછા ફર્યા છે. તમામ ભૂતપૂર્વ નવ સૈનિકો દોહામાં અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીમાં કામ કરતા હતા. આ ખાનગી કંપની કતાર (Qatar)ના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. ભારત સરકારે તમામ આઠ ભારતીયોની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે અમારા નાગરિકોની મુક્તિ અને તેમના ઘરે પરત ફરવાના કતારના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ.

કતારથી પરત ફરેલા નેવીના સૈનિકોએ ભારત સરકારનો આભાર માન્યો

નેવી સૈનિકોએ કહ્યું કે અમે ભારત પાછા આવવા માટે 18 મહિના સુધી રાહ જોઈ છે. અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ. પીએમ મોદીના સમર્થન વિના આ અશક્ય હતું. અમે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભારત સરકારના પ્રયત્નો વિના આ દિવસ શક્ય ન હોત.

કથિત જાસૂસીના આરોપમાં મોતની સજા આપવામાં આવી હતી...

ઓગસ્ટ 2022 માં, કતાર (Qatar)માં કથિત જાસૂસીના આરોપમાં 8 ભૂતપૂર્વ મરીનની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસને સપ્ટેમ્બર 2023માં આ માહિતી મળી હતી. 26 ઓક્ટોબર 2023 ના રોજ, કતાર કોર્ટે દરેકને મૃત્યુદંડની સજા સંભળાવી. કતાર (Qatar)ના આ નિર્ણયથી કેન્દ્ર સરકાર પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જોકે, ભારત સરકારના હસ્તક્ષેપ બાદ ત્યાંની કોર્ટે તમામ સૈનિકોની સજા ઘટાડી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ પર સબમરીન પ્રોજેક્ટની કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ હતો, ત્યારબાદ તમામને જેલમાં રાખવામાં આવ્યા હતા. આઠ ભૂતપૂર્વ મરીનને કથિત જાસૂસી માટે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આ 8 ભૂતપૂર્વ ભારતીય મરીનને સજા કરવામાં આવી હતી...

તમને જણાવી દઈએ કે દોહા સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ સાથે કામ કરતા લોકોની ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, સુગુણાકર પાકલા, અમિત નાગપાલ અને સંજીવ ગુપ્તાનો સમાવેશ થાય છે. નવતેજ સિંહ ગિલ, બિરેન્દ્ર કુમાર વર્મા અને સૌરભ વશિષ્ઠ કેપ્ટન છે, જ્યારે આઠમો વ્યક્તિ રાગેશ ગોપકુમાર છે. ભારતે તમામ ભૂતપૂર્વ સૈનિકોને કાનૂની સહાય પણ પૂરી પાડી હતી. જો કે, 8 ભૂતપૂર્વ મરીનને મુક્ત કરવી એ ભારતની મોટી જીત છે.

કતાર અને ભારતના સંબંધો કેવા છે?

ભારત અને કતાર (Qatar) વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે અને ભારતે અનેક પ્રસંગોએ કતારને મદદનો હાથ લંબાવ્યો છે. આ ઉપરાંત ભારત કતારમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનોની પણ આયાત કરે છે. વર્ષ 2017માં ભારતે કતાર (Qatar)ને મદદ કરી હતી જ્યારે બેહરીન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા ખાડી દેશોએ કતાર પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવીને તેની સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા. આ કારણે કતાર (Qatar) ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું, તેને આયાત અને નિકાસ માટે દૂરના બંદરોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. ત્યાંની ગંભીર ખાદ્ય કટોકટી જોઈને ભારત સરકારે કતાર (Qatar)ને ઈન્ડિયા-કતાર એક્સપ્રેસ સર્વિસ નામની દરિયાઈ સપ્લાય લાઈન દ્વારા મદદ કરી. કતાર ખાદ્ય પદાર્થો માટે પણ ભારત પર નિર્ભર છે.

આ પણ વાંચો : UAE : 27 એકરમાં ફેલાયેલા, રૂ. 700 કરોડનો ખર્ચ… જાણો મુસ્લિમ શહેરમાં બનેલા BAPS મંદિરની સંપૂર્ણ કહાની…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
8 indian navy officers in qatarIndiaIndian NavyNationalQatarqatar indian navy officersqatar releases indian navy officersworld
Next Article