Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Murder Mystery : ઘરમાં પડેલી 5 લાશ...કાતિલ કોણ....?

ભાગલપુર પોલીસ લાઈન્સમાં શંકાસ્પદ સંજોગોમાં 5 લોકોના મોત આત્મહત્યા કરનારા પતિએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેની પત્નીએ બંને બાળકો અને તેની માતાની હત્યા કરી છે હત્યા કેસમાં કાતિલની તપાસ પોલીસે શરુ કરી Murder Mystery : બિહારના ભાગલપુર (Bhagalpur)...
murder mystery   ઘરમાં પડેલી 5 લાશ   કાતિલ કોણ
  • ભાગલપુર પોલીસ લાઈન્સમાં શંકાસ્પદ સંજોગોમાં 5 લોકોના મોત
  • આત્મહત્યા કરનારા પતિએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેની પત્નીએ બંને બાળકો અને તેની માતાની હત્યા કરી છે
  • હત્યા કેસમાં કાતિલની તપાસ પોલીસે શરુ કરી

Murder Mystery : બિહારના ભાગલપુર (Bhagalpur) પોલીસ લાઈન્સમાં શંકાસ્પદ સંજોગોમાં 5 લોકોની મળેલી લાશના મામલામાં પોલીસ પણ કન્ફ્યૂઝ છે કે કાતિલ કોણ છે....પતિ કે પત્ની....(Murder Mystery) ! પોલીસ લાઇનના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ અને તેના પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ સમગ્ર પોલીસ વિભાગમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી બિહારના અરાના એક મોલથી શરૂ થયેલી પંકજ અને નીતુની કહાની ભવિષ્યમાં એટલું દર્દનાક સ્વરૂપ ધારણ કરશે કે બંનેએ સપનામાં પણ તેના વિશે વિચાર્યું નહીં હોય. આ પ્રેમ કથાનો ખૂબ જ દર્દનાક અંત હતો. બિહારના ભાગલપુરમાં એક ઘરમાંથી પાંચ મૃતદેહ પડેલા મળી આવ્યા હતા. નીતુની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ લેનાર પતિએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેની પત્નીએ બંને બાળકો અને તેની માતાની હત્યા કરી છે. હવે આ હત્યા કેસ પોલીસ માટે કોયડો બનીને રહ્યો છે. જો પતિની સુસાઈડ નોટને આધાર તરીકે લેવામાં આવે તો નીતુ બે બાળકો અને સાસુની હત્યારી છે. પરંતુ પોલીસ આ મામલે અન્ય એંગલથી પણ તપાસ કરી રહી છે. નીતુ બિહાર પોલીસમાં ભાગલપુરની SSP ઓફિસની RTI શાખામાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતી. આખો પરિવાર નીતુ સાથે તેના સરકારી ક્વાર્ટરમાં રહેતો હતો. પોલીસ હાલ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે. પોલીસને મળેલી સુસાઈડ નોટમાં પંકજે નીતુ સાથે અન્ય કોઈ સંબંધ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.

Advertisement

નીતુ અને પંકજ 2015 થી એકબીજાને પ્રેમ કરતા હતા

નીતુ અને પંકજને નજીકથી ઓળખતા લોકો કહે છે કે તે વર્ષ 2015 હતું જ્યારે નીતુ અને પંકજ આરાના એક મોલમાં કામ કરતી વખતે પહેલીવાર એકબીજાને મળ્યા હતા. પછી સાથે કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યા. આ પછી નીતુને બિહાર પોલીસમાં નોકરી મળી અને કોન્સ્ટેબલ બની. અલગ-અલગ જગ્યાએ કામ કરવા છતાં બંને વચ્ચે કોઈ અંતર ન હતું અને આખરે બંનેએ તમામ સામાજિક અવરોધો તોડીને એકબીજા સાથે લગ્ન કર્યા હતા. અને પંકજ નીતુ સાથે ભાગલપુરમાં આપેલા સરકારી ક્વાર્ટરમાં રહેવા લાગ્યો.

આ પણ વાંચો----- Bhagalpur માં મહિલા કોન્સ્ટેબલના પતિની હેવાનિયત, પાંચ લોકોની કરી હત્યા અને પછી...

Advertisement

પોલીસને પતિની હત્યાની પણ શંકા છે

કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમ કેસની દરેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસને મળેલી પંકજની સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેની પત્ની નીતુએ તેના બંને બાળકો અને તેની માતાની નિર્દયતાથી હત્યા કરી હતી. આ પછી જ તેણે નીતુની હત્યા કરી નાખી. જો કે, પંકજની સુસાઈડ નોટમાં જે દાવો કરવામાં આવ્યો છે તે સિવાય પોલીસ આ સમગ્ર મામલે પણ તપાસ કરી રહી છે. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે કે શું નીતુને બદલે પંકજે જ બાળકો અને વૃદ્ધ મહિલાની હત્યા કરી હતી. બાળકો અને વૃદ્ધ મહિલાની હત્યા કોણે કરી તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.

પંકજને નીતુ પર શંકા હતી

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નીતુના પતિને તેના પર શંકા હતી. પંકજને ખબર પડી હતી કે નીતુનું કોઇ સાથે અફેર છે. આ બાબતે નીતુ અને પંકજ વચ્ચે ભૂતકાળમાં ઘણી વખત ઝઘડો થયો હતો. થોડા દિવસો પહેલા પણ આ મુદ્દે નીતુ અને પંકજ વચ્ચે ઝઘડો થયો હતો. પંકજ હાલમાં બેરોજગાર હતો અને નીતુ તેને આ બાબતે ટોણા મારતી હતી.

Advertisement

દૂધવાળાએ હત્યા વિશે જણાવ્યું

નીતુના સરકારી ક્વાર્ટરમાં શું બન્યું હતું તે નીતુના ઘરના દૂધવાળાએ તેના ઘરની બારીમાંથી અંદર ડોકિયું ન કર્યું ત્યાં સુધી તેની પડોશમાં રહેતા લોકોને જાણ નહોતી. લાંબા સમય સુધી દરવાજો ન ખોલવા છતાં દૂધવાળાએ બારીમાંથી અંદર જોયું તો તેણે સૌથી પહેલા નીતુની સાસુની લોહીથી લથબથ લાશ જોઈ. ત્યારબાદ દૂધવાળાએ બૂમાબુમ કરી ત્યારે નજીકના લોકો નીતુના ઘરે પહોંચ્યા. આ પછી જ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ફોન આવે તો પતિ શંકા કરતો

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે નીતુનો પતિ પંકજ નીતુના ઇનકમિંગ કોલને લઈને ઘણી હંગામો મચાવતો હતો. નજીકમાં રહેતા લોકોએ પોલીસને જણાવ્યું કે પંકજની માતાએ પતિ-પત્ની વચ્ચેની લડાઈ શાંત પાડી હતી. કહેવાય છે કે, પંકજ પણ કોઇપણ સમયે ડ્યુટી પર જવાથી નીતુથી નારાજ હતો.

જુદા જુદા રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા

રેન્જ ડીઆઈજી વિવેકાનંદે જણાવ્યું કે નીતુના ક્વાર્ટરનો દરવાજો તોડ્યો હતો. ત્યાર બાદ જ્યારે અમારી ટીમ અંદર પહોંચી તો અમે અંદર જે જોયું તે હલાવી દે તેવું હતું. ગેસ્ટ રૂમમાં પલંગ પર નીતુની સાસુની લાશ પડી હતી. છરી વડે હુમલો કરવા ઉપરાંત નીતુની સાસુ પર પણ ઈંટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આગળ જતાં નીતુ કુમારીના પતિ પંકજ કુમાર સિંહનો મૃતદેહ રસોડાની સામે વરંડા પર લટકતો જોવા મળ્યો. નીતુના પુત્ર શિવાંશ (6) અને પુત્રી સલોની (3)ના મૃતદેહ વરંડાની બાજુના રૂમમાં પડેલા મળી આવ્યા હતા. પોલીસ ટીમને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

આ પણ વાંચો----- Saharanpur Suicide : જવેલર્સ દંપતીએ ગંગા નદીમાં ઝંપલાવ્યું, કારણ જાણી તમે પણ ચોંકી જશો...

Tags :
Advertisement

.