Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM નરેન્દ્ર મોદી પહોંચ્યા Poland, હોટલમાં ભારતીય સમુદાયે કર્યું સ્વાગત, પ્રધાનમંત્રીએ બાળકો સાથે હાથ મિલાવ્યા...

પોલેન્ડમાં દાંડિયા સાથે પીએમ મોદીનું સ્વાગત PM એ બાળકો સાથે હાથ મિલાવ્યા પોલેન્ડ બાદ PM મોદી યુક્રેન જશે PM નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે રવાના થઈ ગયા છે. આ દરમિયાન PM મોદી 2 દિવસની મુલાકાતે વોર્સો પહોંચી ગયા...
pm નરેન્દ્ર મોદી પહોંચ્યા poland  હોટલમાં ભારતીય સમુદાયે કર્યું સ્વાગત  પ્રધાનમંત્રીએ બાળકો સાથે હાથ મિલાવ્યા
  1. પોલેન્ડમાં દાંડિયા સાથે પીએમ મોદીનું સ્વાગત
  2. PM એ બાળકો સાથે હાથ મિલાવ્યા
  3. પોલેન્ડ બાદ PM મોદી યુક્રેન જશે

PM નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે રવાના થઈ ગયા છે. આ દરમિયાન PM મોદી 2 દિવસની મુલાકાતે વોર્સો પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે PM મોદી પોલેન્ડમાં 2 દિવસ રોકાવાના છે. છેલ્લા 45 વર્ષમાં કોઈ ભારતીય PM ની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે. તમને જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદી અહીં રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે અને PM ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સિવાય PM મોદી પોલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. લોડ્ઝના ગવર્નર ડોરોટા રિલે PM મોદીની મુલાકાતને પોલેન્ડ અને પ્રદેશ માટે મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે ભારત અને પોલેન્ડના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પોલેન્ડ ભારતને વેપાર અને અન્ય સહયોગ માટે મુખ્ય ભાગીદાર તરીકે જુએ છે. પોલેન્ડના ઘણા બિઝનેસ ડેલિગેશન નિયમિતપણે ભારતની મુલાકાત લે છે, એમ રિલે જણાવ્યું હતું.

Advertisement

દાંડિયા સાથે પીએમ મોદીનું સ્વાગત...

પીએમ મોદી જ્યાં રોકાયા છે તે હોટલમાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન દાંડિયાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કલાકારો સાથે તસવીરો પણ ખેંચાવી હતી. આ દરમિયાન PM એ બાળકો સાથે હાથ મિલાવ્યો હતો. મોદીને આવકારવા માટે દાંડિયા ડાન્સ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું.

Advertisement

આ પણ વાંચો : ભારતીયએ પાક.ની ટીશર્ટ પહેરતા થઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

Advertisement

આ પ્રવાસ શા માટે મહત્વપૂર્ણ છે?

વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે કહ્યું કે PM મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને પોલેન્ડ વચ્ચે 1940 ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધનો અનોખો સંબંધ છે, જ્યારે પોલેન્ડની છ હજારથી વધુ મહિલાઓ અને બાળકોએ ભારતના બે રજવાડાઓમાં આશ્રય લીધો હતો - જામનગર અને કોલ્હાપુર.

આ પણ વાંચો : પાકિસ્તાનની સંસદમાં હવે ચાલશે બિલાડીઓનું રાજ! જાણો પૂરી વિગત

પોલેન્ડ બાદ PM મોદી યુક્રેન જશે...

પોલેન્ડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ વેપાર, માનવતાવાદી સહાય અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. યુક્રેનમાં તેઓ વિદ્યાર્થીઓ અને ભારતીય સમુદાયના અન્ય લોકોને પણ મળશે. માનવામાં આવે છે કે PM મોદીની આ મુલાકાતથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે. આ પહેલા પ્રધાનમંત્રી મોદી રશિયાની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમને રશિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : US Presidential Election : કમલા હેરિસને ઓબામાનું સમર્થન, કહ્યું - અમેરિકા નવા અધ્યાય માટે તૈયાર

Tags :
Advertisement

.