PM મોદી આજે રામનગરીને આપશે 15,700 કરોડ રૂપિયાની ભેટ
22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે. જેને લઇને સૌ રામ ભક્તોમાં ખુશીની લહેર છે. ત્યારે આજનો દિવસ પણ અયોધ્યાનગરી માટે ખાસ છે. આજે 30 ડિસેમ્બર 2023 અયોધ્યાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થવાનો છે. આજે વડાપ્રધાન મોદી અયોધ્યા આવી રહ્યા છે, જ્યા તેઓ અયોધ્યાના 15,700 કરોડ રૂપિયાની ભેટ આપશે.
PM મોદીનું અયોધ્યામાં કરાશે ભવ્ય સ્વાગત
અયોધ્યામાં આજે વડાપ્રધાન મોદી આવવાના છે. જ્યારે PM મોદી અયોધ્યા પહોંચશે, ત્યારે દેશભરના કલાકારોના વિવિધ જૂથો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી રેલ્વે સ્ટેશન, રામ પથ માર્ગ સુધી કુલ 40 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં 1400 થી વધુ કલાકારો લોક કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. 22 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક પહેલા PM મોદી તેમની મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, હાઈવે, રેલ્વે સ્ટેશન અને રેલ્વે લાઈન ડબલિંગ સહિત અનેક મોટા પ્રોજેક્ટની ભેટ આપશે. આ સાથે ચાર મુખ્ય રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. અયોધ્યા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના કેટલાક પ્રોજેક્ટને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે PM મોદી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર વંદે ભારત એક્સપ્રેસ, મેંગ્લોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસ ફ્લેગ ઓફ કરશે.
PM Modi to visit Ayodhya today, lay foundation stone of multiple projects worth over Rs 15,000 crore
Read @ANI Story |https://t.co/cPyTosRb3Y#NarendraModi #PMModi #Ayodhya pic.twitter.com/1Sh8xNCBdq
— ANI Digital (@ani_digital) December 30, 2023
PM મોદીના સ્વાગત માટે અયોધ્યાનગરીને શણગારવામાં આવ્યું
અયોધ્યા વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર છે. લોકો સ્થળ પર પહોંચવા લાગ્યા છે. માર્ગોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. અહીં શંખ નાદ અને ડમરુ વગાડીને PM નું સ્વાગત કરવામાં આવશે. અયોધ્યામાં દરેક ખૂણા પર સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. લોક નર્તકો લોક સંસ્કૃતિની ધૂન અને સંગીત પર નાચતા જોવા મળે છે.
#WATCH | Folk artists perform in Ayodhya, Uttar Pradesh
PM Narendra Modi will visit Ayodhya today and he will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat… pic.twitter.com/HLnN4PEHa5
— ANI (@ANI) December 30, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો
- PM સવારે 8.35 વાગ્યે દિલ્હીથી અયોધ્યા જવા રવાના થશે.
- સવારે 9.50 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. સવારે 9.50 કલાકે એરપોર્ટથી રોડ માર્ગે સવારે 10.30 કલાકે અયોધ્યા જંકશન રેલ્વે સ્ટેશન પહોંચશે.
- સવારે 10.30 થી 11 વાગ્યા સુધી અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે.
- સવારે 11.05 વાગ્યે રેલવે સ્ટેશનથી નીકળશે અને રોડ શો કરીને બપોરે 12.25 વાગ્યે એરપોર્ટ પહોંચશે.
- બપોરે 12.30 થી 12.45 સુધી એરપોર્ટના નવા ટર્મિનલનું નિરીક્ષણ કરશે.
- બપોરે 12.50 કલાકે એરપોર્ટથી નીકળશે અને 12.55 કલાકે એરપોર્ટ નજીક મીટીંગ પ્લેસ પહોંચશે.
- બપોરે 1 વાગ્યાથી સભા સ્થળ પર ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 2 વાગ્યા સુધી જનસભાને સંબોધશે.
- PM બપોરે 2 વાગે એરપોર્ટ જશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો - Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિવિધ કાર્યક્રમોને લઈ PM મોદીના રૂટની બ્લૂ પ્રિંટ તૈયાર, વાંચો અહેવાલ