ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

PM મોદી કહેતા હતા કે ફ્રીની રેવડી વહેંચે છે કેજરીવાલ, હવે તેઓ શું પ્રસાદ વહેંચી રહ્યા છે

Delhi Election 2025: ભાજપના સંકલ્પ પત્ર પર આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે નિશાન સાધ્યું છે. તેમણે તેને માત્ર ખોટા વચનોનું પોટલું ગણાવ્યું છે.
06:58 PM Jan 17, 2025 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Arvind Kejriwal Attack on BJP

Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે ભાજપે ગુરૂવારે પોતાનો સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો હતો. જેાં ભાજપે મહિલાઓને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. જેમાં ભાજપે મહિલાઓને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. ત્યારે હવે ભાજપે સંકલ્પ પત્ર અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંજોયક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે નિશાન સાધ્યું છે.

રેવડીને ખરાબ ગણાવનારા હવે રેવડી ઉછાળી રહ્યા છે

પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ફ્રીની રેવડી યોગ્ય નથી. તેમણે 100 વખત કહ્યું કે, કેજરીવાલ ફ્રીની રેવડી વહેચી રહ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેરાત કરી છે કે અમે પણ ફ્રીની રેવડી આપીશું. હવે મોદી સરકાર જાહેરાત કરે કે ફ્રીની રેવડી સાચી છે. મોદી કહે કે પહેલા જે કહ્યું હતું તે ખોટું કહ્યું હતું. દેશના ભગવાનનો પ્રસાદ છે.

આ પણ વાંચો : Saif Ali Khan Attack: 'અમે બધા ચિંતામાં' કરીના કપૂરના એક્સ બોયફ્રેન્ડની પ્રતિક્રિયા

ભાજપની પાસે કોઇ જ વિઝન નથી

અરવિંદ કેજરીવાલને પુછવામાં આવ્યું કે, શું ભાજપની જેમ તમે પણ પહેલી કેબિનેટમાં 2100 રૂપિયા પ્રતિ માસ મહિલાઓને આપવાનો પ્રસ્તાવ કરશો? તે અંગે કેજરીવાલે જવાબ આપતા કહ્યું કે, અમે પણ કરી દઇશું. તેમણે કહ્યું કે, ભાજપ પોતાના વચન પણ આમ આદમી પાર્ટીની કોપી કરે છે. ભાજપ પાસે પોતાનું કોઇ વિઝન નથી. પૂર્વ સીએમએ કહ્યું કે, ભાજપનો સંકલ્પ પત્ર ખોટા વચનોનું પોટલું છે.

શું જેપી નડ્ડાએ પીએમ મોદીની પરવાનગી લીધી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપ અધ્યક્ષે પોતાનો સંકલ્પ પત્રમાં અનેક રેવડીઓની જાહેરાત કરી. શું તેને વહેંચવા માટે તેમણે વડાપ્રદાનની પરવાનગી લીધી છે વડાપ્રધાને સેંકડો વખત કહ્યું કે, ફ્રીની રેવડી યોગ્ય નથી. કેજરીવાલ ફ્રીની રેવડીઓ વહેંચી રહ્યા છે. આ દેશ માટે યોગ્ય નથી. પરંતુ ભાજપ અધ્યક્ષે જાહેરાત કરી કે અમે પણ કેજરીવાલની જેમ ફ્રીની રેવડી આપીશું. વડાપ્રધાન આવીને જાહેરાત કરે કે તેમની સંમતી છે, તેઓ બોલ્યા કે મે ખોટુ કહ્યું હતું અને કેજરીવાલ સાચા છે, ફ્રીની રેવડી ભગવાન પ્રસાદ છે.

આ પણ વાંચો : રશિયન સૈન્યમાં લડી રહેલા 16 ભારતીયો 'ગુમ'! અત્યાર સુધીમાં 12 લોકોના મોત: વિદેશ મંત્રાલય

Tags :
Aam Aadmi PartyArvind KejriwalBJPBJP ManifestoDelhidelhi assembly election 2025Delhi Chunav 2025Delhi Election 2025Delhi NewsElections 2025Gujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJP Nadda