3 દેશોના પ્રવાસેથી પરત ફર્યા PM મોદીનું દિલ્હી એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત, ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. તેમનું વિમાન સવારે 5:10 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના ઘણા કાર્યકરો આખી રાતથી પાલમ એરપોર્ટની બહાર ઉભા હતા. ભાજપના દિલ્હી રાજ્ય એકમે પીએમના સ્વાગત માટે આખી રાત એરપોર્ટની બહાર ઉજવણી કરી હતી.
#WATCH | Prime Minister Narendra Modi being garlanded by BJP National President JP Nadda and party members on his arrival at Palam airport after concluding his three-nation visit pic.twitter.com/6K7klH2FQR
— ANI (@ANI) May 25, 2023
પીએમના સ્વાગત માટે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પોતે પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, દિલ્હીના સાંસદ રમેશ વિધૂડી, હંસ રાજ હંસ અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધૂડી પણ હાજર રહ્યા હતા.
#WATCH | Tamil language is our language. It is the language of every Indian. It is the oldest language in the world. I had the opportunity to release the Tok Pisin translation of the book 'Thirukkural' in Papua New Guinea: PM Modi pic.twitter.com/GqyyHWBZEs
— ANI (@ANI) May 25, 2023
દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે હું વિશ્વના દેશોમાં જાઉં છું, વિશ્વના મહાન વ્યક્તિઓને મળું છું અને ભારતની ક્ષમતા વિશે વાત કરું છું. મારા દેશની મહાન સંસ્કૃતિનો મહિમા કરતી વખતે હું મારી આંખો નીચી રાખતો નથી. હું આંખોમાં આંખ નાખીને વાત વાત કરું છું.
#WATCH | I want to tell you that While speaking about the culture and great tradition of India, never get immersed in slavery mentality, speak with courage. The world is eager to listen. The world agrees with me when I say that attack on our pilgrimage sites is not acceptable: PM… pic.twitter.com/tBHxXIuoJP
— ANI (@ANI) May 25, 2023
PM મોદીએ વધુમાં કહ્યું કે, ભારતની સંસ્કૃતિ અને મહાન પરંપરા વિશે વાત કરતી વખતે ક્યારેય ગુલામીની માનસિકતામાં ન આવશો, હિંમતથી વાત કરો. દુનિયા આ વાત સાંભળવા આતુર છે. આપણા પવિત્ર સ્થળો પર હુમલા સ્વીકાર્ય નથી. પીએમએ કહ્યું કે આજે જે લોકો અહીં હાજર છે તે મોદીજીને પ્રેમ કરનારા લોકો નથી, તેઓ ભારત માતાને પ્રેમ કરનારા લોકો છે. આ એવા લોકો છે જેઓ ભારતને પ્રેમ કરે છે. જ્યારે ભારતનું નામ રોશન થાય છે ત્યારે 140 કરોડ દેશવાસીઓની ભાવના નવી ઊંચાઈઓને સ્પર્શે છે.
#WATCH | The people here asked me why I gave the vaccines to the world. I want to say that this is the land of Buddha, Gandhi. We care even for our enemies... Today the world wants to know what India is thinking: PM Modi pic.twitter.com/Ti34IUSfzm
— ANI (@ANI) May 25, 2023
ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું કાર્યક્રમમાં આવવું એ ગર્વની વાત છે, પરંતુ ભારતીય સમુદાયના આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા, ત્યાંના સાંસદો પણ હાજર હતા. વિરોધ પક્ષના સાંસદો પણ હતા. આ યશ મોદીનો નથી. પરંતુ ભારતના પ્રયાસોની છે. તે 140 કરોડ ભારતીયોની ભાવના સાથે જોડાયેલી છે.
#WATCH | When I talk about the culture of my country, I look into the eyes of the world. This confidence has come because you have formed a government with an absolute majority in the country. Those who have come here are people who love India, not PM Modi: PM Modi pic.twitter.com/CoiDVxaSjA
— ANI (@ANI) May 25, 2023
આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વેક્સીનને લઈને વિપક્ષને આડેહાથ લીધા હતા. PM એ કહ્યું હતુ કે, અમારી પાસે હિસાબ પૂછવામાં આવ્યા હતા કે તમે વિદેશમાં રસી કેમ મોકલી. પાપુઆ ન્યુ ગિનીના લોકો મારી ભાષા સમજી શક્યા નહીં, પરંતુ તેઓએ ઈશારો કરીને કહ્યું કે, તમે જ્યારે રસી મોકલી ત્યારે જ અમે જીવિત છીએ. ત્યાંના લોકોની આંખમાં આંસુ હતા.
આ પણ વાંચો : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને Y શ્રેણીની સુરક્ષા