Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર PMએ યોજી બેઠક, કોઇ કસર ન છોડવા કર્યો આગ્રહ

PM Modi high level meeting on Jammu Kashmir : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં એક પછી એક આતંકી હુમલા (Terrorist attacks) થઇ રહ્યા છે. એકવાર ફરી અહીં આતંકીઓએ ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. પહેલા રિયાસીમાં યાત્રીઓથી ભરેલી બસને ટાર્ગેટ...
જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર pmએ યોજી બેઠક  કોઇ કસર ન છોડવા કર્યો આગ્રહ

PM Modi high level meeting on Jammu Kashmir : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં એક પછી એક આતંકી હુમલા (Terrorist attacks) થઇ રહ્યા છે. એકવાર ફરી અહીં આતંકીઓએ ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. પહેલા રિયાસીમાં યાત્રીઓથી ભરેલી બસને ટાર્ગેટ કરવામાં આવ્યો, તે પછી કઠુઆ (Kathua) માં આતંકી હુમલો (Terrorist attacks) અને પછી ડોડામાં પણ આતંકી હુમલાએ સ્થાનિકોને એકવાર ફરી દહેશતમાં રહેવા મજબૂર કરી દીધા છે. એક પછી એક થઇ રહેલા હુમલા બાદ હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. આજે વડાપ્રધાન મોદી (PM Modi) એ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે અપડેટ લીધું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) અને અન્ય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

Advertisement

જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર કેન્દ્ર સરકાર એક્શન મોડમાં!

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થઇ રહેલા આતંકી હુમલા અને ત્યાની તાજેતરની સ્થિતિ કેવી છે તે અંગે વડાપ્રધાનને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાનને આતંકવાદ વિરોધી પ્રયાસોની પણ જાણકારી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાને ભારતની આતંકવાદ વિરોધી ક્ષમતાઓના સમગ્ર સ્પેક્ટ્રમને તૈનાત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. બેઠક દરમિયાન, મોદીએ વરિષ્ઠ અધિકારીઓને ભારતની આતંકવાદ વિરોધી ક્ષમતાઓને સંપૂર્ણ રીતે તૈનાત કરવા આગ્રહ કર્યો. તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી વિશે પણ વાત કરી હતી. નોંધનીય છે કે કઠુઆમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા અને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ડોડા જિલ્લામાં કોટા ટોપ, ચટ્ટાગલ્લા અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ફરી શરૂ કર્યું હતું, જ્યાં મંગળવારે અને બુધવારે આતંકવાદીઓ સાથેની અલગ-અલગ અથડામણમાં બે પોલીસકર્મીઓ સહિત 7 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.

Advertisement

સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી અંગે ચર્ચા

PM મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી અને સુરક્ષા દળોની તૈનાતી અને આતંકવાદ વિરોધી કામગીરી અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વાત કરી હતી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પ્રદેશમાં ત્રણ નોંધપાત્ર હુમલાઓ સાથે હિંસામાં વધારો જોવા મળ્યો છે. રિયાસી આતંકી હુમલો, કઠુઆ આતંકી હુમલો અને ડોડા આતંકી હુમલો. પ્રથમ ઘટના 9 જૂનના રોજ બની હતી, જ્યારે આતંકવાદીઓએ રિયાસીમાં એક બસને નિશાન બનાવી હતી, જેના કારણે તે ખાઈમાં પડી હતી, જેમાં ઓછામાં ઓછા 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 42 અન્ય ઘાયલ થયા હતા. અગાઉ, જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે ડોડા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો.

અત્યાર સુધી શું થયું છે?

PTI ના જણાવ્યા અનુસાર છેલ્લા 4 દિવસમાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં 4 સ્થળોએ આતંકી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં 9 તીર્થયાત્રીઓ અને એક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનનું મોત થયું છે. વળી, 7 સુરક્ષા કર્મચારીઓ સહિત અન્ય ઘણા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. કઠુઆમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

Advertisement

આ પણ વાંચો - પાકિસ્તાનની સંસદમાં ભારતની ચૂંટણીના થયા વખાણ

આ પણ વાંચો - Imran Riaz Khan Arrested: Pakistan સરકારની ટીકા કરનાર પત્રકારની પાક. ની ગુપ્તચર એજન્સીઓએ કરી ધરપકડ

Tags :
Advertisement

.