Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terrorist Attack : CM ઓમર અબ્દુલ્લા, LG મનોજ સિંહા, ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક

ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં CM ઓમર અબ્દુલ્લા, LG મનોજ સિંહા અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી છે.
pahalgam terrorist attack   cm ઓમર અબ્દુલ્લા  lg મનોજ સિંહા  ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક
Advertisement
  1. જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મામલો (Pahalgam Terrorist Attack)
  2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા, CM, LG અને સુરક્ષા અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક શરૂ
  3. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા
  4. આતંકી હુમલામાં 26 લોકોનાં મોતની આશંકા, જ્યારે 12 થી વધુ ઇજાગ્રસ્ત થયાં

Pahalgam Terrorist Attack : મંગળવારે જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સેના અને ગુપ્તચર વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં હુમલા પછીની પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ અમિત શાહ શ્રીનગર જવા રવાના થયા હતા. ત્યારે હવે માહિતી મળી છે કે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર (Srinagar) પહોંચી ગયા છે.

આ પણ વાંચો - VIDEO: આતંકીઓનો ભોગ બનતાં પહેલાં આ શું બોલે છે પ્રવાસી, પત્ની સાથે કેટલા ખુશ હતા?

Advertisement

"અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું"

પહેલાગામમાં આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. મારી સંવેદનાઓ મૃતકોનાં પરિવારનાં સભ્યો સાથે છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે. અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને સૌથી કડક સજા આપીશું." માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર (Srinagar) પહોંચી ગયા છે અને CM ઓમર અબ્દુલ્લા (CM Omar Abdullah), LG મનોજ સિંહા (LG Manoj Sinha) અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે હાઇ લેવલની બેઠક યોજી છે.

Advertisement

આ પણ વાંચો - Pahalgam Terrorist Attack પર નેતાઓએ આપી આ પ્રતિક્રિયા, કહ્યું 'કાયરતાપૂર્ણ હુમલો'

હુમલામાં 27 લોકોનાં મોત થયાની આશંકા, ઇજાગ્રસ્તોમાં 3 ગુજરાતી પણ સામે

જણાવી દઈએ કે, મંગળવારે પહેલગામનાં બૈસરાનાં વિસ્તારમાં આતંકવાદીઓએ પ્રવાસીઓનાં એક જૂથને નિશાન (Pahalgam Terrorist Attack) બનાવ્યું છે. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાની આશંકા છે. જ્યારે 12 થી વધુ ઘાયલોને અનંતનાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ભારતીય મૂળનાં બે વિદેશી નાગરિક પણ હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ ઇજાગ્રસ્તોમાં 3 ગુજરાતી હોવાની માહિતી સામે આવી છે. આ ગુજરાતીઓની ઓળખ ભાવનગરનાં (Bhavnagar) વિનોદભટ્ટ, માનિક પટેલ, રિના પાંડેય તરીકે થઈ છે. આ આંતકી હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકવાદીઓએ લગભગ 3 થી 5 મિનિટ સુધી ગોળીબાર કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયા હતા.

આ પણ વાંચો - Pahalgam Terrorist Attack : આંતકી હુમલામાં બે વિદેશી નાગરિક સહિત 27 નાં મોતની આશંકા, હેલ્પલાઇન નં. જાહેર

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarati Top News : આજે 20 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
Top News

VADODARA : વિશ્વામિત્રી નદીને અવરોધરૂપ બુલેટ ટ્રેનના એપ્રોચ રોડ દુર કરાયા

featured-img
બિઝનેસ

Israel Iran War: ઇરાન અને ઝરાયલના યુધ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો!

featured-img
Top News

Gujarat by-Election : કડી-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, EVM માં ઉમેદવારોનું ભાવિ થયું સીલ

featured-img
બિઝનેસ

Israel-Iran Conflict: ભારતમાં પણ તણાવ વધ્યો, લગભગ 4771 કરોડ રૂપિયા દાવ પર

featured-img
અમદાવાદ

Rain in Ahmedabad : 'મેઘમહેર' બાદ 'મેગા સિટી' ની દયનીય સ્થિતિ! DyMC એ આપ્યું આ નિવેદન

Trending News

.

×