ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

New Justice Statue : ન્યાયની દેવીની આંખેથી પટ્ટી હટાવાઈ, હાથમાં 'સંવિધાન' અપાયું

સુપ્રીમ કોર્ટના CJI DY ચંદ્રચુડનો મોટો નિર્ણય ન્યાયની દેવીની પ્રતિમા બદલવામાં આવી આંખો પર બાંધવામાં આવેલી પટ્ટી હટાવાઈ બીજા હાથમાં રહેલી તલવારની જગ્યા બંધારણે લીધી દેશની અદાલતો, ફિલ્મો અને ધારાશાસ્ત્રીઓની ચેમ્બરમાં આંખ પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવી (New Justice...
08:57 PM Oct 16, 2024 IST | Dhruv Parmar
  1. સુપ્રીમ કોર્ટના CJI DY ચંદ્રચુડનો મોટો નિર્ણય
  2. ન્યાયની દેવીની પ્રતિમા બદલવામાં આવી
  3. આંખો પર બાંધવામાં આવેલી પટ્ટી હટાવાઈ
  4. બીજા હાથમાં રહેલી તલવારની જગ્યા બંધારણે લીધી

દેશની અદાલતો, ફિલ્મો અને ધારાશાસ્ત્રીઓની ચેમ્બરમાં આંખ પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવી (New Justice Statue)ની પ્રતિમા ઘણી વાર તમે જોઈ હશે. પરંતુ હવે નવા ભારતના ન્યાયની દેવી (New Justice Statue)ની આંખો ખુલી ગઈ છે. એટલું જ નહીં હવે તેમના હાથમાં તલવારને બદલે બંધારણ આવી ગયું છે. વાસ્તવમાં, બ્રિટિશ કાયદાઓ થોડા સમય પહેલા બદલવામાં આવ્યા છે અને હવે ભારતીય ન્યાયતંત્રે પણ અંગ્રેજોના યુગને પાછળ છોડીને નવો દેખાવ અપનાવવાનું શરૂ કર્યું છે.

આંખની પટ્ટી દૂર કરવામાં આવી હતી...

સુપ્રીમ કોર્ટનું સિમ્બોલ તો બદલાયું છે એટલું જ નહીં, વર્ષોથી ન્યાયની દેવી (New Justice Statue) પર બાંધવામાં આવેલી પટ્ટી પણ દૂર થઈ ગઈ છે. સ્વાભાવિક છે કે, સુપ્રીમ કોર્ટે દેશને સંદેશો આપ્યો છે કે કાયદો હવે આંધળો નથી રહ્યો. તમને જણાવી દઈએ કે, આ તમામ પ્રયાસો સુપ્રીમ કોર્ટના CJI DY ચંદ્રચુડ દ્વારા કરવામાં આવ્યા છે. આવી જ પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે.

આ પણ વાંચો : મોટો નિર્ણય! આ VIP નેતાઓને મળશે હવે આ સુરક્ષા, સરકારે કર્યા મોટા ફેરફારો

તલવારને બદલે બંધારણ...

CJI ચંદ્રચુડના નિર્દેશ પર ન્યાયની દેવી (New Justice Statue)ની પ્રતિમાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા જજીસ લાઈબ્રેરીમાં એક મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ન્યાયની દેવી (New Justice Statue)ની અગાઉની પ્રતિમામાં, તેની બંને આંખો પર પટ્ટી બાંધેલી હતી. નવી મૂર્તિમાં ન્યાયની દેવીની આંખો ખુલ્લી છે અને કોઈ પટ્ટી નથી. ઉપરાંત, એક હાથમાં એક ત્રાજવું હતું જ્યારે બીજા હાથમાં સજાનું પ્રતીક તલવાર હતી. જોકે હવે ન્યાયની દેવીની પ્રતિમાના હાથમાં રહેલી તલવારનું સ્થાન બંધારણે લીધું છે. મૂર્તિના બીજા હાથમાંના ત્રાજવા પહેલા જેવા જ છે.

આ પણ વાંચો : Bhopal માં જુનિયર ઓડિટરના ઘરમાંથી મળ્યો 'કુબેરનો ખજાનો', અધિકારીઓ પણ ચોંક્યા

પ્રતિમા કેમ બદલાઈ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, CJI ચંદ્રચુડનું માનવું હતું કે હવે આપણે અંગ્રેજી વારસાથી આગળ વધવું પડશે. કાયદો ક્યારેય આંધળો હોતો નથી, તે દરેકને સમાન રીતે જુએ છે. તેથી ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવું જોઈએ. ઉપરાંત, દેવીના એક હાથમાં તલવાર નહીં પરંતુ બંધારણ હોવું જોઈએ જેથી સમાજમાં સંદેશ જાય કે તે બંધારણ મુજબ ન્યાય આપે છે. બીજી તરફ ત્રાજવું સાચું છે કે તેમની નજરમાં બધું સમાન છે.

આ પણ વાંચો : દુશ્મનીની ધરતી પર 24 કલાક રોકાયા Jaishankar, ભારત પરત આવતા જ કહી આ મોટી વાત...

Tags :
CJI DY Chandrachudgoddess of justice new statueGujarati NewsIndialaw not blindNationalstatue of goddess of justice
Next Article