Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

New Justice Statue : ન્યાયની દેવીની આંખેથી પટ્ટી હટાવાઈ, હાથમાં 'સંવિધાન' અપાયું

સુપ્રીમ કોર્ટના CJI DY ચંદ્રચુડનો મોટો નિર્ણય ન્યાયની દેવીની પ્રતિમા બદલવામાં આવી આંખો પર બાંધવામાં આવેલી પટ્ટી હટાવાઈ બીજા હાથમાં રહેલી તલવારની જગ્યા બંધારણે લીધી દેશની અદાલતો, ફિલ્મો અને ધારાશાસ્ત્રીઓની ચેમ્બરમાં આંખ પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવી (New Justice...
new justice statue   ન્યાયની દેવીની આંખેથી પટ્ટી હટાવાઈ  હાથમાં  સંવિધાન  અપાયું
Advertisement
  1. સુપ્રીમ કોર્ટના CJI DY ચંદ્રચુડનો મોટો નિર્ણય
  2. ન્યાયની દેવીની પ્રતિમા બદલવામાં આવી
  3. આંખો પર બાંધવામાં આવેલી પટ્ટી હટાવાઈ
  4. બીજા હાથમાં રહેલી તલવારની જગ્યા બંધારણે લીધી

દેશની અદાલતો, ફિલ્મો અને ધારાશાસ્ત્રીઓની ચેમ્બરમાં આંખ પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવી (New Justice Statue)ની પ્રતિમા ઘણી વાર તમે જોઈ હશે. પરંતુ હવે નવા ભારતના ન્યાયની દેવી (New Justice Statue)ની આંખો ખુલી ગઈ છે. એટલું જ નહીં હવે તેમના હાથમાં તલવારને બદલે બંધારણ આવી ગયું છે. વાસ્તવમાં, બ્રિટિશ કાયદાઓ થોડા સમય પહેલા બદલવામાં આવ્યા છે અને હવે ભારતીય ન્યાયતંત્રે પણ અંગ્રેજોના યુગને પાછળ છોડીને નવો દેખાવ અપનાવવાનું શરૂ કર્યું છે.

આંખની પટ્ટી દૂર કરવામાં આવી હતી...

સુપ્રીમ કોર્ટનું સિમ્બોલ તો બદલાયું છે એટલું જ નહીં, વર્ષોથી ન્યાયની દેવી (New Justice Statue) પર બાંધવામાં આવેલી પટ્ટી પણ દૂર થઈ ગઈ છે. સ્વાભાવિક છે કે, સુપ્રીમ કોર્ટે દેશને સંદેશો આપ્યો છે કે કાયદો હવે આંધળો નથી રહ્યો. તમને જણાવી દઈએ કે, આ તમામ પ્રયાસો સુપ્રીમ કોર્ટના CJI DY ચંદ્રચુડ દ્વારા કરવામાં આવ્યા છે. આવી જ પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : મોટો નિર્ણય! આ VIP નેતાઓને મળશે હવે આ સુરક્ષા, સરકારે કર્યા મોટા ફેરફારો

તલવારને બદલે બંધારણ...

CJI ચંદ્રચુડના નિર્દેશ પર ન્યાયની દેવી (New Justice Statue)ની પ્રતિમાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા જજીસ લાઈબ્રેરીમાં એક મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ન્યાયની દેવી (New Justice Statue)ની અગાઉની પ્રતિમામાં, તેની બંને આંખો પર પટ્ટી બાંધેલી હતી. નવી મૂર્તિમાં ન્યાયની દેવીની આંખો ખુલ્લી છે અને કોઈ પટ્ટી નથી. ઉપરાંત, એક હાથમાં એક ત્રાજવું હતું જ્યારે બીજા હાથમાં સજાનું પ્રતીક તલવાર હતી. જોકે હવે ન્યાયની દેવીની પ્રતિમાના હાથમાં રહેલી તલવારનું સ્થાન બંધારણે લીધું છે. મૂર્તિના બીજા હાથમાંના ત્રાજવા પહેલા જેવા જ છે.

આ પણ વાંચો : Bhopal માં જુનિયર ઓડિટરના ઘરમાંથી મળ્યો 'કુબેરનો ખજાનો', અધિકારીઓ પણ ચોંક્યા

પ્રતિમા કેમ બદલાઈ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, CJI ચંદ્રચુડનું માનવું હતું કે હવે આપણે અંગ્રેજી વારસાથી આગળ વધવું પડશે. કાયદો ક્યારેય આંધળો હોતો નથી, તે દરેકને સમાન રીતે જુએ છે. તેથી ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવું જોઈએ. ઉપરાંત, દેવીના એક હાથમાં તલવાર નહીં પરંતુ બંધારણ હોવું જોઈએ જેથી સમાજમાં સંદેશ જાય કે તે બંધારણ મુજબ ન્યાય આપે છે. બીજી તરફ ત્રાજવું સાચું છે કે તેમની નજરમાં બધું સમાન છે.

આ પણ વાંચો : દુશ્મનીની ધરતી પર 24 કલાક રોકાયા Jaishankar, ભારત પરત આવતા જ કહી આ મોટી વાત...

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

×

Live Tv

Trending News

.

×