Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Modi Government લેશે મોટું પગલું! સંસદના વિશેષ સત્રમાં 'એક દેશ-એક ચૂંટણી' બિલ લાવી શકે છે...!

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર 'એક દેશ-એક ચૂંટણી' પર બિલ લાવી...
modi government લેશે મોટું પગલું  સંસદના વિશેષ સત્રમાં  એક દેશ એક ચૂંટણી  બિલ લાવી શકે છે
Advertisement

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર 'એક દેશ-એક ચૂંટણી' પર બિલ લાવી શકે છે. એક દેશ એક ચૂંટણીનો સીધો અર્થ એ છે કે દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓ એક સાથે યોજવી જોઈએ. દેશમાં લાંબા સમયથી 'વન નેશન-વન ઈલેક્શન'ની ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કાયદા પંચે આ અંગે રાજકીય પક્ષો પાસેથી છ પ્રશ્નોના જવાબ માંગ્યા હતા. સરકાર તેનો અમલ કરવા માંગે છે, પરંતુ ઘણા રાજકીય પક્ષો તેની વિરુદ્ધ છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન UCC અને મહિલા અનામત બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે.

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં આ બાબત પર ચર્ચા કરતી વખતે કહ્યું હતું કે, સુધુ જ કહી દો કે અમે પક્ષમાં નથી. અરે તમે આ બાબતે ચર્ચા તો કરો... શા માટે આપણે વસ્તુઓ મુલતવી રાખીએ છીએ? પાંચ વર્ષમાં એકવાર ચૂંટણી થવી જોઈએ, ચૂંટણીનો તહેવાર એક-બે મહિના ચાલવો જોઈએ. તે પછી કામ પર પાછા જાઓ. બધાએ આ વાત કહી છે. જાહેરમાં સ્ટેન્ડ લેવામાં સમસ્યા હોવી જોઈએ. તેમણે કહ્યું કે શું એ સમયની જરૂરિયાત નથી કે આપણા દેશમાં ઓછામાં ઓછી એક મતદાર યાદી હોવી જોઈએ. આજે દેશની કમનસીબી છે કે જેટલી વખત મતદાન થાય છે તેટલી વખત મતદાર યાદીઓ આવે છે.

Advertisement

કાયદા પંચે રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને તેની સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ પાસેથી અભિપ્રાય માંગતી જાહેર નોટિસ જારી કરી ચૂંટણી પ્રક્રિયા હતી. કાયદા પંચે પૂછ્યું હતું કે શું એકસાથે ચૂંટણી યોજવી એ લોકશાહી, બંધારણની મૂળભૂત રચના કે દેશના સંઘીય માળખા સાથે ચેડાં છે? પંચે એ પણ પૂછ્યું હતું કે ત્રિશંકુ વિધાનસભા અથવા સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ પાસે સરકાર બનાવવા માટે બહુમતી ન હોય, ત્યારે વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાનની નિમણૂક ચૂંટાયેલી સંસદના સ્પીકર દ્વારા કરી શકાય છે.

Advertisement

સત્ર બોલાવવાનો સરકારનો અધિકાર

વાસ્તવમાં, બંધારણના અનુચ્છેદ 85માં સંસદનું સત્ર બોલાવવાની જોગવાઈ છે. આ અંતર્ગત સરકારને સંસદના સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ એવા નિર્ણયો લે છે જે રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કરવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને સત્રમાં બોલાવવામાં આવે છે.

આ સુધારાઓની જરૂર કેમ પડી?
  • આઝાદી બાદ 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ હતી.
  • આ પછી 1968 અને 1969માં ઘણી એસેમ્બલી સમય પહેલા ભંગ થઈ ગઈ. તે પછી 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. આનાથી એક સાથે ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.
  • ઓગસ્ટ 2018માં એક દેશ, એક ચૂંટણી પર લો કમિશનનો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે દેશમાં બે તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી શકે છે.
  • પ્રથમ તબક્કામાં લોકસભાની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણી. અને બીજા તબક્કામાં બાકીના રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે. પરંતુ આ માટે કેટલીક એસેમ્બલીનો કાર્યકાળ લંબાવવો પડશે અને કેટલીકનું સમય પહેલા વિસર્જન કરવું પડશે. અને આ બધું બંધારણીય સુધારા વિના શક્ય નથી.

આ પણ વાંચો : Adani Case : I.N.D.I.A ગઠબંધન પહેલા રાહુલે ઉઠાવ્યા અનેક સવાલો, કહ્યું- ‘દેશની બહાર કોના પૈસા મોકલવામાં આવે છે?’

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

દિલ્હી-NCR માં ભારે વરસાદે તબાહી મચાવી... રસ્તાઓ પર પાણી ભરાયા

featured-img
Top News

Bhavnagar : મહુવામાં પડ્યો ધોધમાર વરસાદ, 38 વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઇવરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું

featured-img
રાષ્ટ્રીય

Model Sheetal Case: હરિયાણાની મોડલ શીતલ હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ!

featured-img
Top News

Vadodra : ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડા બન્યા આફત, ચોમાસામાં જ ડ્રેનેજ લાઇનનું કામ કરતા સ્થાનિકોને ભારે હાલાકી

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : શૈક્ષણિક સત્ર ફરી ક્યારે શરૂ થશે ? BJ મેડિકલ કોલેજનાં ડીને આપી માહિતી

featured-img
રાષ્ટ્રીય

Bihar ને મળશે મોટી ભેટ, આ છ નવા શહેરોમાં બનશે એરપોર્ટ

×

Live Tv

Trending News

.

×