મહેબૂબા મુફ્તીએ 370 ને લઈને આપ્યું આ મોટુ નિવેદન
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જ્યાં સુધી ખીણમાં કલમ 370 પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી તેઓ કોઈ ચૂંટણી લડશે નહીં. આ સિવાય તેમણે એમ પણ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુમતી રાજ્ય છે. આ સાથે જ તેમણે જી-20 સમિટને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પહેલા માત્ર પાકિસ્તાન જ જમ્મુ અને કાશ્મીરના મામલામાં દખલ કરતું હતું. હવે ચીન પણ આવું જ કરી રહ્યું છે. તેણીએ તેને કલમ 370 નાબૂદનું પરિણામ ગણાવ્યું છે.
I won't fight Assembly elections till Article 370 is restored in Jammu & Kashmir...I don't see Assembly elections being held in the near future: PDP chief Mehbooba Mufti in Bengaluru pic.twitter.com/DWA7vl8Atu
— ANI (@ANI) May 21, 2023
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે G-20 સમગ્ર દેશની ઘટના છે, પરંતુ ભાજપે તેને હાઇજેક કરી લીધો છે. બેંગલુરુમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “તેઓએ G-20 લોગોને કમળના ફૂલથી બદલ્યો છે. આ લોગો દેશ સાથે જોડાયેલો હોવો જોઈએ. આ સમગ્ર દેશની ઘટના છે, પરંતુ ભાજપે તેને હાઇજેક કરી લીધી છે. આ કોઈ પાર્ટી ઈવેન્ટ નથી.આ સાર્ક દેશોનું સંમેલન છે.
હું વિધાનસભા ચૂંટણી નહીં લડુંઃ મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તીએ બેંગલુરુમાં કહ્યું, "ચીન હવે જમ્મુ અને કાશ્મીરના મામલામાં દખલ કરી રહ્યું છે, જ્યારે પહેલા માત્ર પાકિસ્તાન જ આવું કરતું હતું. આ બીજેપી દ્વારા કલમ 370 નાબૂદ કરવાનું પરિણામ છે." વધુમાં ઉમેર્યું છે કે જ્યાં સુધી કલમ 370 પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી હું વિધાનસભા ચૂંટણી નહીં લડું, પરંતુ મારી પાર્ટી ચૂંટણી લડશે. જમ્મુ-કાશ્મીરને ખુલ્લી જેલ ગણાવતા તેમણે કહ્યું કે અમારા બધાના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. જો પૂર્વ મુખ્યમંત્રીના પરિવાર સાથે આવું થઈ શકે તો કોઈની સાથે પણ થઈ શકે છે. મહેબૂબાએ કહ્યું, "જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું, પરંતુ કલમ 370 નાબૂદ કરવાથી રાજ્યનું વિભાજન થયું અને તેને બિનકાર્યક્ષમ બનાવી દીધું."
કેન્દ્ર પર સાંપ્રદાયિક રાજકારણ કરવાનો આરોપ
તેમણે વધુમાં કહ્યું કે, “કેન્દ્ર સરકાર સાંપ્રદાયિક રાજનીતિ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ બહુમતી રાજ્ય છે." શુક્રવારે (19 મે) કેન્દ્ર સરકારના વટહુકમ પર બોલતા તેમણે કહ્યું કે વટહુકમ દ્વારા દિલ્હી સરકારની સત્તા છીનવાઈ રહી છે. સાથે જ સરકાર CBI અને EDનો બિનજરૂરી ઉપયોગ કરી રહી છે.
કોંગ્રેસ સરકાર સારું કામ કરશે'
આ સિવાય કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા પર તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી અને કર્ણાટકની જનતાએ કોંગ્રેસને જીતાડી. મને આશા છે કે કોંગ્રેસ સરકાર સારું કામ કરશે. કર્ણાટકની જનતાનો આભાર. હકીકતમાં, કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયાએ શનિવારે (20 મે)ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સમારોહને ભવ્ય બનાવીને કોંગ્રેસે અન્ય રાજ્યોના મોટા નેતાઓને આમંત્રણ મોકલ્યા હતા. આ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ પણ સામેલ થયા હતા. કૉંગ્રેસે કર્ણાટકમાં શપથ ગ્રહણ માટે ઘણા વિપક્ષી દળોને આમંત્રણ ન આપવા પર, મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કૉંગ્રેસે વધુ બલિદાન આપવું જોઈએ, અન્યથા અન્ય વિકલ્પો છે. મહેબૂબાએ વધુમાં કહ્યું કે, "ભાજપ ઈચ્છતી નથી કે ત્યાં કોઈ વિપક્ષ હોય. દિલ્હી સરકારને સત્તાહીન બનાવી દેવામાં આવી છે. દરેક સાથે આવું જ થવાનું છે." તેમણે કહ્યું કે જ્યારે બધાએ હાર માની લીધી હતી ત્યારે કર્ણાટકે આખા દેશને આશાનું કિરણ બતાવ્યું હતું.
આપણ વાંચો-હવે કેજરીવાલ સાથે ચર્ચા, નીતિશ કુમાર 2024 પહેલા વિપક્ષને એક કરવા દિલ્હીમાં