Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર જીવલેણ હુમલો

Maharashtra માં રાજકીય યુદ્ધ વધુ ગરમાયું મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા લોહીયાળ બન્યું રણમેદાન ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર જીવલેણ હુમલો થયો મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભા ચૂંટણી 2024 ના મતદાન પહેલા મોટા સમાચાર આવ્યા છે. અહીં, NCP શરદ પાવર જૂથના...
maharashtra   પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર જીવલેણ હુમલો
Advertisement
  1. Maharashtra માં રાજકીય યુદ્ધ વધુ ગરમાયું
  2. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા લોહીયાળ બન્યું રણમેદાન
  3. ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર જીવલેણ હુમલો થયો

મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભા ચૂંટણી 2024 ના મતદાન પહેલા મોટા સમાચાર આવ્યા છે. અહીં, NCP શરદ પાવર જૂથના નેતા અને મહારાષ્ટ્ર (Maharashtra)ના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર જીવલેણ હુમલો થયો છે. મળતી માહિતી મુજબ નાગપુરના કાટોલમાં દેશમુખની કાર પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં અનિલ દેશમુખ ઘાયલ થયો છે.

માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV ફૂટેજને સ્કેન કરીને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કારને નુકસાન થયું છે, હાલમાં દેશમુખની હાલત સ્થિર છે, તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Indian Coast Guard : એક વાર ફરીથી સમુદ્રમાં ભારતે પાકિસ્તાનને આપી મ્હાત, Video

માથામાં ઊંડી ઈજા, પૂર્વ મંત્રી લોહીથી લથબથ જોવા મળ્યા...

મળતી માહિતી મુજબ ઘટના સ્થળેથી સામે આવેલા વીડિયોમાં અનિલ દેશમુખને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. તે માથા પર રૂમાલ બાંધીને લોહીથી લથપથ કારમાં બેઠેલો જોવા મળે છે. સાથે જ તેમની કારને પણ ભારે નુકસાન થયું હતું. કારનો આગળનો કાચ તૂટી ગયો છે. કારના બોનેટ પર એક મોટો પથ્થર પણ પડેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Noida માં મોટી દુર્ઘટના, ઈમારત ધરાશાયી થવાથી કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કાર્ય ચાલુ

રસ્તો બ્લોક કર્યો...

NCP શરદ પવારના કાર્યકરોએ જણાવ્યું કે, પૂર્વ મંત્રીની કાર નાગપુરના કાટોલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કેટલાક અજાણ્યા બદમાશોનું ટોળું રસ્તાની વચ્ચે આવી ગયું અને તેમને ધમકાવ્યા. ગુસ્સે ભરાયેલા ટોળાએ દેશમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમની કાર પર પથ્થરમારો કર્યો. કાર ચાલક કંઈ સમજે તે પહેલા જ બદમાશોએ હુમલો કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : 'છોટા પોપટ, કોંગ્રેસને કરશે ચૌપટ', રાહુલ ગાંધીના 'Safe' નિવેદન પર ભાજપનો પલટવાર

Tags :
Advertisement

Trending News

.

×