Maharashtra : Pune માં બિલ્ડરના પુત્રએ સર્જ્યો અકસ્માત, બે લોકોના મોત...
મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં એક ભયાનક ઘટના સામે આવી છે. ખરેખર, પુણે (Pune)માં એક જાણીતા બિલ્ડરના પુત્રએ બાઇક સવારને ટક્કર મારી હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. બિલ્ડરની કારને પણ નુકસાન થયું હતું. આ ઘટના બાદ ત્યાં હાજર લોકોએ બિલ્ડરના પુત્રને ખૂબ માર માર્યો હતો. જે બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બિલ્ડરના પુત્રએ બાઇક સવારને ટક્કર મારી...
વાસ્તવમાં મામલો પુણે (Pune)ના કલ્યાણી નગરનો છે. અહીં એક જાણીતા બિલ્ડરના પુત્રએ તેની પોર્શ કાર સાથે બાઇક સવારને ટક્કર મારી હતી. બાઇક સવાર છોકરા-છોકરીના મોત થયા છે. મૃતકોની ઓળખ અનીસ અવલિયા અને અશ્વિની કોસ્ટા તરીકે થઈ છે જેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં બ્રહ્મા રિયાલિટીના માલિકના પુત્ર વેદાંત અગ્રવાલે તેની મોંઘી કારથી બાઇક સવાર યુવક અને યુવતીને ટક્કર મારી હતી. આ ઘટના કલ્યાણી નગરમાં બની હતી, જ્યાં રાત્રે લગભગ 2.30 વાગ્યે આ ઘટના બની હતી.
Maharashtra: A bike rider, pillion were killed when a speeding Porsche car hit them from behind in the Kalyani Nagar area of Pune City last night. The accused has been arrested. FIR has been registered. Further investigation is underway: DCP Vijay Kumar Magar, Pune City Police pic.twitter.com/AIX2CiKsKL
— ANI (@ANI) May 19, 2024
ટોળાએ બિલ્ડરના પુત્રને માર માર્યો હતો...
તમને જણાવી દઈએ કે, આ ઘટના બાદ સ્થાનિક લોકોએ કાર સવારને મારપીટ કરી હતી. પોલીસે વેદાંત અગ્રવાલ વિરુદ્ધ યરવડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી છે. આ ઘટના બાદ મૃતકના મિત્ર ઈકીબ રમઝાન મુલ્લાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અશ્વિની અને અનીસ મિત્રો સાથે મોટરસાયકલ પર કલ્યાણીનગરથી યરવડા તરફ જઈ રહ્યા હતા. વેદાંત જ્યારે પોર્શ હાઇ સ્પીડમાં ચલાવી રહ્યો હતો ત્યારે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ પછી કાર એક બાઇક અને અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આ ઘટના પછી લોકોએ કાર સવારને જોરદાર માર માર્યો, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Air India Express ની ફ્લાઇટમાં લાગી ભીષણ આગ, ફ્લાઇટમાં 179 યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર હતા
આ પણ વાંચો : Swati Maliwal કેસમાં AAP ના આરોપો પર JP Nadda એ પલટવાર કર્યો, કહ્યું- ‘કેજરીવાલની પોલ ખૂલી ગઈ છે’
આ પણ વાંચો : Pune : મુંબઈ બાદ હવે પુણેમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી, 3 ઘાયલ…