કર્ણાટક તો માત્ર એક ઝાંખી, હવે મોદી લહેર ખતમ થઇ : સંજય રાઉત
કર્ણાટકમાં ભાજપની હાર બાદ હવે શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે પણ કટાક્ષ કર્યો છે. તેમણે કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત અને ભાજપની હાર પર ખુશી વ્યક્ત કરી હતી. સંજય રાઉતે કહ્યું કે, કર્ણાટક તો માત્ર એક ઝાંખી છે, હજુ આખા ભારતમાં આવવાનું બાકી છે. વધુમાં તેમણે કહ્યું કે, મોદી લહેર ખતમ થઈ ગઈ છે અને હવે અમારી લહેર આખા દેશમાં આવી રહી છે. 2024ની લોકસભા ચૂંટણી માટે અમારી તૈયારી શરૂ થઈ ગઈ છે અને આજે શરદ પવારની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે, અમે આ બેઠકમાં 2024ની ચૂંટણી વિશે ચર્ચા કરીશું અને તેની તૈયારી શરૂ કરીશું.
"Modi wave is over...": Sanjay Raut after Congress' big win in Karnataka polls
Read @ANI Story | https://t.co/nf7eJSuaJt#sanjayRaut #KarnatakaPolls #Congress #BJP pic.twitter.com/k5MgopLlvi
— ANI Digital (@ani_digital) May 14, 2023
બજરંગબલી કોંગ્રેસ સાથે છે: સંજય રાઉત
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોથી એટલા ખુશ છે કે તેમણે આજે દાવો કર્યો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લહેર ખતમ થઈ ગઈ છે અને તેમની લહેર સમગ્ર દેશમાં આવી રહી છે. તેમણે કહ્યું, કર્ણાટકે બતાવ્યું છે કે લોકો તાનાશાહીને હરાવી શકે છે. કોંગ્રેસ જીતી ગઈ એટલે બજરંગ બલી કોંગ્રેસ સાથે છે ભાજપ સાથે નથી. આપણા ગૃહમંત્રી (અમિત શાહ) કહેતા હતા કે જો ભાજપ હારી જશે તો રમખાણો થશે. કર્ણાટક શાંત અને ખુશ છે. રમખાણો ક્યાં છે? કર્ણાટકમાં ભાજપની સેનાનો પરાજય થયો છે. કર્ણાટકની જનતાએ ભાજપને હરાવ્યો છે. કર્ણાટકમાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિની હાર બીજેપીના કારણે છે. અમે સિમા ભાગ માટે લડી રહ્યા છીએ. અમે 2024 માટે તૈયારી કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રને લૂંટવાનું કામ ભાજપ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 135, ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવીને કોંગ્રેસે દક્ષિણ ભારતમાં તેના એકમાત્ર ગઢમાં ભાજપને સત્તા પરથી હટાવી દીધી છે.
The Modi wave is over and now our wave is coming across the country. Our preparation for the 2024 Lok Sabha elections has started and today a meeting has been called under the chairmanship of Sharad Pawar, we will discuss about the 2024 elections in this meeting and start… pic.twitter.com/H4Rg8iSa8j
— ANI (@ANI) May 14, 2023
"2024ની લોકસભા માટે અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે": સંજય રાઉત
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આજે સાંજે 4.30 વાગ્યાથી મહાવિકાસ અઘાડીની બેઠક યોજાશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના ઘરે એક બેઠક બોલાવવામાં આવી છે, જે મહાવિકાસ અઘાડી જૂથનો ભાગ છે. રાઉતે જણાવ્યું કે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, નાના પટોલે, અજિત પવાર, બાલસાહેબ થોરાત અને અન્ય નેતાઓ બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર પર સવાર થઈને, કોંગ્રેસે શનિવારે સ્પષ્ટ બહુમતી ચિહ્ન કરતાં વધુ બેઠકો મેળવી. કર્ણાટકમાં કોંગ્રેસની જીત માત્ર તેના રાજકીય પ્રભાવમાં વધારો કરશે નહીં, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં તેની સ્થિતિને વધુ મજબૂત કરશે અને વિપક્ષી એકતાની સમગ્ર કવાયતમાં તેની આશાઓને વધુ મજબૂત કરશે. એવું માનવામાં આવે છે કે આ જીત સાથે આ વર્ષના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શક્યતાઓ મજબૂત થઈ શકે છે.
આ પણ વાંચો - રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની સાથે અન્ય રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ કર્ણાટક મોડલ અપનાવશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ