જમ્મુ-કાશ્મીર: LoC નજીક IED વિસ્ફોટ, બે જવાન શહીદ, એક ઘાયલ
- જમ્મુ જિલ્લાના ખૌરમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો
- જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થતાં આર્મી હોસ્પિટલમાં ખસેડાયા
- સારવાર દરમિયાન બે સૈનિકો શહીદ, અન્ય સૈનિકની સારવાર ચાલુ
જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક IED વિસ્ફોટમાં સૈનિકો શહીદ થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે એક સૈનિકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
LoC નજીક IED વિસ્ફોટમાં સૈનિકો શહીદ થયા
જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક IED વિસ્ફોટમાં સૈનિકો શહીદ થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાની ટીમ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો. જેને લઈને ત્રણ સૈનિકો ઘાયલ થયા. માહિતી મળતા જ, વધારાના સૈન્ય દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ ગયા બાદ, આતંકવાદીઓ માટે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ના વિસ્ફોટને કારણે થયો હતો, જે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.
ગોળીબારમાં સેનાના એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા હતા
તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા, સોમવારે, રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબારમાં સેનાના એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. જવાન નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં એક ફોરવર્ડ પોસ્ટ પર તૈનાત હતો ત્યારે તેને ગોળી વાગી હતી અને તેને તાત્કાલિક લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ બપોરે લગભગ 2.40 વાગ્યે નિયંત્રણ રેખા પારથી ગોળીબાર થયો હતો.
અગાઉ 8 ફેબ્રુઆરીના રોજ, કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પેલે પારના જંગલમાંથી આતંકવાદીઓએ સેનાની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો, જેઓ આ બાજુ પ્રવેશવાની તક શોધી રહ્યા હતા. ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહીમાં થોડા રાઉન્ડ ગોળીબાર કર્યો અને ત્યારબાદ વિસ્તારમાં કડક નજર રાખવા માટે ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત બનાવવામાં આવી.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા દૂર ન કરો'