Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gaganyaan mission માટે ISRO એ CE20 નું કર્યું પરીક્ષણ, જાણો શું છે મહત્વ?

ISRO CE20 Cryogenic engine : ભારતના માનવ મિશન Gaganyaan માટે તૈયાર છે
gaganyaan mission માટે isro એ ce20 નું કર્યું પરીક્ષણ  જાણો શું છે મહત્વ
Advertisement
  • પરીક્ષણ તમિલનાડુના મહેન્દ્ર ગિરીમાં કરવામાં આવ્યું
  • ભારતના માનવ મિશન Gaganyaan માટે તૈયાર છે
  • આ વખતે તેની ક્ષમતા વધારીને 22 ટન કરવામાં આવી

ISRO CE20 Cryogenic engine : ISRO એ CE20 Cryogenic engine નું સફળ પરીક્ષણ કર્યું છે. આ એક પ્રકારનું સ્પેશિયલ એન્જિન છે, જેનો ઉપયોગ ઉપગ્રહોને અવકાશમાં ખૂબ ઊંચાઈએ મોકલવા માટે થાય છે. જોકે, ISRO હાલમાં તેનો ઉપયોગ Gaganyaan mission માટે કરી રહ્યું છે. ISRO એ આ પરીક્ષણની સફળતા વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે.

પરીક્ષણ તમિલનાડુના મહેન્દ્ર ગિરીમાં કરવામાં આવ્યું

ISRO Gaganyaan mission ની તૈયારીમાં વ્યસ્ત છે. ISRO એ વેલડેક પરીક્ષણ પણ હાથ ધર્યું હતું, જેમાં સમુદ્રમાં ઉતર્યા પછી અવકાશયાત્રીને ક્રૂ મોડ્યુલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. ISRO એ CE20 Cryogenic engine નું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને Gaganyaan mission તરફ વધુ એક પગલું ભર્યું છે. આ પરીક્ષણ ગત 29 નવેમ્બરે તમિલનાડુના મહેન્દ્ર ગિરીમાં કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: નજીવી બાબત માટે YouTuber એ બાનાવ્યું એક અદ્યતન શહેર, જાણો કારણ

Advertisement

આ વખતે તેની ક્ષમતા વધારીને 22 ટન કરવામાં આવી

અવકાશમાં પ્રવેશતા પહેલા રોકેટનો આ છેલ્લો તબક્કો છે. આ એન્જિનનો ઉપયોગ GSLV અને GSLV Mk III જેવા રોકેટમાં થઈ ચૂક્યો છે, જેનો ઉપયોગ ભારતના મંગળ મિશન, ચંદ્રયાન જેવા મહત્વપૂર્ણ મિશનમાં કરવામાં આવ્યો છે. ઠંડા બળતણ હોવાને કારણે, તે અતિશય તાપમાન અને વાતાવરણીય દબાણનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. તેના કારણે રોકેટનું વજન ખૂબ જ ઘટે છે. તેથી તે મહત્તમ પેલોડ સાથે લક્ષ્ય સુધી પહોંચી શકે છે. મહેન્દ્રગિરિમાં ISRO દ્વારા ઉપયોગમાં લેવાતું Cryogenic engine 19 ટન સુધીનું પેલોડ વહન કરી શકતું હતું, પરંતુ આ વખતે તેની ક્ષમતા વધારીને 22 ટન કરવામાં આવી છે.

ભારતના માનવ મિશન Gaganyaan માટે તૈયાર છે

ISRO એ સમુદ્ર તેલ પર આ પરીક્ષણ કર્યું હતું. ISRO એ વાઇબ્રેશન અને થર્મલ સ્ટ્રેસ જેવા પડકારોનો સામનો કરવા માટે નોઝલ પ્રોટેક્શન સિસ્ટમ પણ રજૂ કરી. આ સિસ્ટમ અવકાશયાત્રીઓની સુરક્ષા જાળવી રાખીને મિશનની કિંમત ઘટાડવાની છે. ISRO અનુસાર તમામ માપદંડોને પૂર્ણ કર્યા પછી, તે ભારતના માનવ મિશન Gaganyaan માટે તૈયાર છે. આમાં ત્રણ ક્રૂ મેમ્બર પૃથ્વીથી દૂર અંતરિક્ષમાં જશે અને પછી પરત ફરશે. આ મિશન 2028 સુધીમાં શરૂ થવાનું છે.

આ પણ વાંચો: Google પર પાકિસ્તાનીઓ ભારત માટે સૌથી વધુ આ સર્ચ કર્યું છે

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

featured-img
ધર્મ ભક્તિ

Rashifal : શુક્રવારે મા લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, દરેક કાર્યમાં પ્રગતિ અને સફળતા મળશે

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

featured-img
ગાંધીનગર

Vikram Thakor : 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?'

featured-img
ગાંધીનગર

Staff Nurse ની વિવાદિત આન્સર કીનો વિવાદ ઠર્યો નથી ત્યાં ફાઈનલ આન્સર કી જાહેર!

×

Live Tv

Trending News

.

×