Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lebanonમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો..

ઇઝરાયેલના ફાઇટર પ્લેન્સે મોડી રાત્રે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર ભારે બોમ્બમારો કર્યો સેંકડો રોકેટ લોન્ચર બેરલને નિશાન બનાવવામાં આવ્યા ઈઝરાયેલે કહ્યું- ભવિષ્યમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે Lebanon : ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પેજર...
lebanonમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો
  • ઇઝરાયેલના ફાઇટર પ્લેન્સે મોડી રાત્રે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર ભારે બોમ્બમારો કર્યો
  • સેંકડો રોકેટ લોન્ચર બેરલને નિશાન બનાવવામાં આવ્યા
  • ઈઝરાયેલે કહ્યું- ભવિષ્યમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે

Lebanon : ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પેજર બ્લાસ્ટ અને વોકી ટોકી બ્લાસ્ટ બાદ ઇઝરાયેલના ફાઇટર પ્લેન્સે ગુરુવારે (19 સપ્ટેમ્બર 2024) મોડી રાત્રે દક્ષિણ લેબનોન (Lebanon)માં હિઝબુલ્લાહના સ્થાનો પર ભારે બોમ્બમારો કર્યો હતો, જેમાં સેંકડો રોકેટ લોન્ચર બેરલને નિશાન બનાવવામાં આવ્યા હતા.

Advertisement

1,000 બેરલ સાથે 100 થી વધુ રોકેટ લોન્ચર્સને નિશાન બનાવ્યા

ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહ આ રોકેટનો ઉપયોગ ઈઝરાયેલની સીમા તરફ તરત જ ફાયર કરવા માટે કરવાનું હતું. ઇઝરાયેલની સેના અનુસાર, તેના ફાઇટર પ્લેન્સે લગભગ 1,000 બેરલ સાથે 100 થી વધુ રોકેટ લોન્ચર્સને નિશાન બનાવ્યા.

આ પણ વાંચો---Israel Attack: "પપ્પુ પેજર"  કેવી રીતે બન્યું મોતનું હથિયાર.....?

Advertisement

ઈઝરાયેલે કહ્યું- ભવિષ્યમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)નું કહેવુ છે કે તે તેના દેશની રક્ષા કરવા માટે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહની માળખાકીય સુવિધાઓ અને ક્ષમતાઓને ઘટાડવા માટે તમામ સંભવિત પગલાં લેવાનું ચાલુ રાખશે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે કહ્યું કે ઇઝરાયેલ હિઝબુલ્લાહ સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે.

Advertisement

અમેરિકાએ તણાવમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરી હતી

વધતા તણાવને જોતા ઘણા દેશો તણાવ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ એક અઠવાડિયા સુધી ચાલેલા મડાગાંઠ બાદ ઇઝરાયેલ અને લેબનોનના હિઝબુલ્લાહ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. બીજી તરફ અમેરિકાએ વધુ તણાવની આશંકા વ્યક્ત કરી છે. બુધવારે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઉત્તર સરહદી વિસ્તારોમાંથી ખાલી કરાયેલા હજારો રહેવાસીઓને તેમના ઘરે પાછા મોકલવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ કારણે જ હિઝબુલ્લા સાથે ઇઝરાયેલનું યુદ્ધ શરૂ થયું

હમાસ પરના હુમલા પછી ઇઝરાયેલને ટેકો આપવા માટે, ઇરાન સમર્થિત હિઝબુલ્લાએ ઉત્તર ઇઝરાયેલમાં રોકેટ છોડવાનું શરૂ કર્યું. જેના કારણે ઘણા લોકોએ દેશના સરહદી વિસ્તારો છોડીને કેન્દ્ર તરફ ભાગવું પડ્યું હતું. ત્યારથી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે દરરોજ ગોળીબાર થાય છે.

આ પણ વાંચો---lebanon : સિરિયલ વિસ્ફોટો બાદ હિઝબુલ્લાહ ચીફ ગુસ્સે ભરાયા, વિસ્ફોટોને યુદ્ધની ઘોષણા ગણાવી, આપી ધમકી

Tags :
Advertisement

.