ગુજરાતમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી INDIA ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડશે
આવતા વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ-AAP સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સામે આગામી લોકસભાની ચૂંટણી સંયુક્ત રીતે લડશે.
ભાજપ INDIA થી ડરે છે : ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે જણાવ્યું હતું કે, અમારી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે, જે પાર્ટીનો મોટો નિર્ણય છે. ગઢવીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન એટલે કે INDIA ગુજરાતમાં પણ લાગુ છે. અમે ગુજરાતમાં પણ બેઠકો ચકાસી રહ્યા છીએ. ભાજપ INDIA થી ડરે છે. ગઢવીએ આગળ કહ્યું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. વધુમાં તેમણે કહ્યું કે, ભાજપ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. ભ્રષ્ટાચાર કરનારા રાજકારણીઓને રક્ષણ આપે છે. એક પછી એક પ્રહાર કરતા ગઢવીએ કહ્યું કે, પાર્ટીમાં રાજીનામા એ આંતરિક બાબત છે, પરંતુ ભાજપના નેતાઓ પર આક્ષેપો લાગી રહ્યા છે તેની તપાસ થવી જોઈએ.
AAP-કોંગ્રેસ ગુજરાતની 26 સીટો વહેંચીને લોકસભાની ચૂંટણી લડશે
ANI સાથે વાત કરતા ઈસુદાન ગઢવીએ કહ્યું, ''આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં સીટો વહેંચીને લોકસભાની ચૂંટણી લડશે. અમે ચોક્કસપણે કહી શકીએ કે જો અમે સીટની વહેંચણીમાં સારું કામ કરીશું તો ભાજપ કદાચ 26 સીટો જીતી શકશે નહીં." આ વખતે ગુજરાતની 26 સીટોમાંથી આદમી પાર્ટી અને કોંગ્રેસ, જેઓ INDIA ગઠબંધન હેઠળ છે, તે ગુજરાતમાં પણ લાગુ છે. હવે અમે સીટો તપાસી રહ્યા છીએ, કોણ ક્યાંથી લડશે.
2024 ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત જીતવાથી રોકવા માટે પક્ષો સાથે આવ્યા
2022 ની વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 182 સભ્યોના ગૃહમાં 17 બેઠકો જીતી હતી. AAP નો વોટ શેર 12.9 હતો, જ્યારે કોંગ્રેસને 27.28 ટકા વોટ મળ્યા હતા. ઈન્ડિયા અથવા 'ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ' એ કોંગ્રેસ સહિત 26 વિપક્ષી પક્ષોનું જૂથ છે. PM મોદીની ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) નો સામનો કરવા અને તેને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત જીતવાથી રોકવા માટે પક્ષો સાથે આવ્યા છે.
વિપક્ષી દળોની આગામી બેઠક મુંબઈમાં યોજાશે
વિપક્ષી દળોની પ્રથમ બેઠક 23 જૂને બિહારના પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં યોજાઈ હતી, જ્યારે બીજી આવી બેઠક કર્ણાટકના બેંગલુરુમાં બોલાવવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા 17 અને 18 જુલાઈના રોજ આયોજિત કરવામાં આવી હતી. આગામી બેઠક મુંબઈ, મહારાષ્ટ્રમાં યોજાશે.
આ પણ વાંચો - ‘શોર્યનો રંગ ખાખી કાર્યક્રમ’માં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા લોન્ચ કરશે ‘ કાશ્મીર એક નયા સવેરા’ બુક અને વેબ સીરીઝ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ