ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવશે, Haryana માં મતદાન પહેલા 20 દિવસની પેરોલ મંજૂર

ગુરમીત રામ રહીમને ફરી એકવાર પેરોલ મળી રામ રહીમની વીસ દિવસની પેરોલ મંજૂર બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા મળી છે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર પેરોલ મળી છે. રામ રહીમની વીસ દિવસની પેરોલ મંજૂર કરવામાં...
11:14 PM Sep 30, 2024 IST | Dhruv Parmar
  1. ગુરમીત રામ રહીમને ફરી એકવાર પેરોલ મળી
  2. રામ રહીમની વીસ દિવસની પેરોલ મંજૂર
  3. બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા મળી છે

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર પેરોલ મળી છે. રામ રહીમની વીસ દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રામ રહીમને બે વિદ્યાર્થીનીઓ સાથે બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. હાલ તે રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. રામ રહીમે 20 દિવસ માટે પેરોલ માટે અરજી કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે.

આ અરજી ચૂંટણી પંચને મોકલવામાં આવી હતી...

રામ રહીમની પેરોલ અરજી ચૂંટણી પંચને મોકલવામાં આવી હતી. ચૂંટણી પંચે શરતો સાથે રામ રહીમના પેરોલને મંજૂરી આપી દીધી છે. આવતીકાલે વહેલી સવારે રામ રહીમ યુપીના બાગપત આશ્રમ જશે. રામ રહીમ પચાસ દિવસ માટે પેરોલ લઈ ચૂક્યો હતો. રામ રહીમે બાકીના વીસ દિવસ માટે પેરોલ માટે અરજી કરી હતી. આ 11 મી વખત છે જ્યારે રામ રહીમ જેલમાંથી બહાર આવશે.

શરતો શું છે?

રામ રહીમ પેરોલના સમયગાળા દરમિયાન હરિયાણા (Haryana)ની બહાર રહેશે. તે હરિયાણા (Haryana) જઈ શકશે નહીં, બાગપત કેમ્પમાં રહેશે. તે કોઈપણ પ્રકારની રાજકીય ગતિવિધિઓમાં ભાગ લઈ શકશે નહીં. તેમજ સોશિયલ મીડિયા દ્વારા કોઈ રાજકીય સંદેશ પણ આપી શકશે નહીં. જો કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો પેરોલ રદ કરવામાં આવશે.

આ પણ વાંચો : Bengaluru : રાશિદ બન્યો 'શંકર', રૂબીના બની 'રાણી', 10 વર્ષથી ભારતમાં છુપાયા હતા 4 પાકિસ્તાની...

હરિયાણાના અનેક જિલ્લાઓમાં અસર...

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ગુરમીત રામ રહીમને ચૂંટણી પહેલા પેરોલ મળતી રહી છે. આ વર્ષે 13 ઓગસ્ટના રોજ તેને 21 દિવસ માટે પેરોલ પર છોડવામાં આવ્યો હતો. હરિયાણા (Haryana)ના સિરસા, હિસાર, ફતેહાબાદ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં રામ રહીમનો સારો પ્રભાવ છે.

આ પણ વાંચો : Bihar Flood : બિહારમાં કોસી-કમલાએ સર્જ્યો હાહાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા...

ચૂંટણી પ્રભાવિત થઈ શકે છે...

હરિયાણા (Haryana)માં ગુરમીત રામ રહીમના લાખો સમર્થકો છે. આવી સ્થિતિમાં જો હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા રામ રહીમ જેલમાંથી બહાર આવે છે તો ચૂંટણી પર તેની મોટી અસર પડી શકે છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 8મી ઓક્ટોબરે મતગણતરી થશે.

આ પણ વાંચો : Karnataka : CM સિદ્ધારમૈયા સામે ED એ દાખલ કર્યો કેસ, જાણો શું છે આરોપો

Tags :
Assembly Elections 2024Gujarati NewsGurmeet Ram RahimHaryanaHaryana Assembly Elections 2024IndiaNationalram rahim haryanaRam Rahim parole
Next Article