Gujarati Top News : આજે 22 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 22 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 22 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મામલે રાજકારણ તેજ થયુ છે. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ગંભીર આરોપ લગાવ્યા તેમજ ગોધરા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે. જેમાં રાજયકક્ષા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજન કરવામાં આવ્યું તથા વડોદરામાં સન ફાર્મા રોડ પર આવેલ લાકડાના ગોડાઉનમાં આગ લાગી તથા વિસાવદર પેટાચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ વિસાવદરની ચૂંટણીમાં ઝંપલાવશે.
અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મામલે રાજકારણ તેજ થયુ
અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મામલે રાજકારણ તેજ થયુ છે. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ગંભીર આરોપ લગાવ્યા છે. ટ્રાયલમાં બે લોકોના મોતનો ગંભીર દાવો કર્યો હતો. રાજશ્રી કેસરી મૃતકના પરિવારજનોને આજે મળવા જશે. મૃતકના પરિવારજનોને મળ્યા બાદ AMC કમિશનરને પણ મળશે.
ગોધરા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો
ગોધરા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે. જેમાં રાજયકક્ષા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 5 દિવસીય ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યુ છે. રાજ્યસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા છે. તેમજ ગોધરા અને મોરવા હડફના ધારાસભ્ય, કલેક્ટર હાજર રહ્યાં છે. રેન્જ IG સહિત રમતગમત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં તથા શિક્ષણમંત્રીએ હિન્દી શેર થકી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે. સ્પોર્ટ્સ ઓથોરોટી, જિલ્લા રમતગમત કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરામાં સન ફાર્મા રોડ પર આવેલ લાકડાના ગોડાઉનમાં આગ લાગી
વડોદરામાં સન ફાર્મા રોડ પર આવેલ લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. જેમાં આગની ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. તેમાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં. તથા ઘટનાને લઈ પોલીસ પણ ઘટના સ્થળે છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
રાજકોટ સીટી બસ અકસ્માત મામલે રાજકારણ ગરમાયું
રાજકોટ સીટી બસ અકસ્માત મામલે રાજકારણ ગરમાયું છે. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાશે. તેમા કોન્ટ્રાકટર સામે પણ ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરશે. થોડા દિવસ પહેલા રાજકોટ શહેરમાં આવેલા ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ડ્રાઇવરે બેફામ બસ હાંકી 4 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બેદારકારીભર્યા ડ્રાઇવિંગને લઈને 6-7 લોકોને ઈજા પહોંચડી હતી. આ મામલે ડ્રાઈવર શિશુપાલ સિંહ રાણાને હોસ્પિટલમાંથી રજા મળતા ધરપકડ કરવામાં આવી છે.
વિસાવદર પેટાચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી!
વિસાવદર પેટાચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી! પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ વિસાવદરની ચૂંટણીમાં ઝંપલાવશે. વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રખાશે. વિસાવદર ખાતે શંકરસિંહ વાઘેલા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. વિસાવદરના સુંદર બાગ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. શંકરસિંહે જણાવ્યું છે કે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સ્થાનિક હશેય મને વિસાવદરની રાજનીતિ વિશે બધી જ ખબર છે. કોંગ્રેસ-AAPના ધારાસભ્યો જીતે તો પણ ભાજપ ખરીદી લે છે. પેટાચૂંટણી જાહેર થાય તે પૂર્વે સોરઠમાં રાજકીય ગરમાવો છે. તેમાં AAP, કોંગ્રેસ, ભાજપ સાથે બાપુની પાર્ટી પણ જંગમાં સામેલ છે.
આ પણ વાંચો: Rashifal 22 April 2025 : મંગળવારે શુભ યોગ બન્યો, આ રાશિના લોકોને લાભ થશે, જાણો તમારું રાશિફળ