Gujarati Top News : આજે 18 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 18 એપ્રિલ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 18 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. જેમાં શહેરના ભવાનીનગરના ખાનગી ટ્રસ્ટમાં ઘટના બની તથા કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની હડતાળ યથાવત છે તેમાં કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણય કરાતા વિરોધ શરૂ થયો તથા ભાવનગરના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીમાં સહાયની માગ કરી છે. જેમાં રાજ્ય સરકાર યુરિયા ખાતરમાં સબસીડી આપી રહી છે તેમજ સુરતવાસીઓને વ્હીકલ અંડરપાસની ભેટ મળશે. જેમાં રૂપિયા 40 કરોડના ખર્ચે નવો અંડરપાસ તૈયાર કરાયો તથા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ક્રેડાઈ ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. આ સિવાયના તમામ સમાચાર જાણવા જોડાયેલા રહો અમારી સાથે....
રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ
રાજકોટમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. જેમાં શહેરના ભવાનીનગરના ખાનગી ટ્રસ્ટમાં ઘટના બની છે. છેલ્લા ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાયું હતું. તેમાં છાશ વિતરણ બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ છે. રામનાથપરા વિસ્તાર પાસે આવેલ ભવાનીનગરમાં છાશ વિતરણ કરાયું હતું. તેમાં 10 જેટલા બાળકો ગુંદાવાડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. તથા 15 જેટલા બાળકોને ઘરે સારવાર અપાઇ છે. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે.
કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની હડતાળ યથાવત
કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓની હડતાળ યથાવત છે. કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણય કરાતા વિરોધ શરૂ થયો છે. તેમાં આજે પણ 284 કર્મચારીઓ અદાણી કંપની સામે ધરણા કરશે. અદાણી ગ્રુપ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ છે. તથા અબડાસામાં અદાણીના સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ છે. કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ છે. અદાણી ગ્રુપે સાંઘી સિમેન્ટ કંપનીને હસ્તક કર્યા બાદ સ્થિતિ બગડી હોવાના આરોપ છે. કર્મચારીઓનો અદાણી કંપની સામે આક્રોશ થતા કર્મચારીઓએ હક માટે હડતાળનું શસ્ત્ર ઉઠાવ્યુ છે.
ભાવનગરના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીમાં સહાયની માગ કરી
ભાવનગરના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીમાં સહાયની માગ કરી છે. જેમાં રાજ્ય સરકાર યુરિયા ખાતરમાં સબસીડી આપી રહી છે. તેમાં ઓર્ગેનિક ખેતીમાં કોઈપણ સહાય આપવામાં આવતી નથી. ત્યારે ખેડૂતોની ઓર્ગેનીક ખેતીમાં પણ સહાય કરવા માગ કરવામાં આવી છે.
સુરતવાસીઓને મળશે વ્હીકલ અંડરપાસની ભેટ
સુરતવાસીઓને વ્હીકલ અંડરપાસની ભેટ મળશે. જેમાં રૂપિયા 40 કરોડના ખર્ચે નવો અંડરપાસ તૈયાર કરાયો છે. કેન્દ્રીય જળશક્તિમંત્રીના હસ્તે અંડરપાસનું લોકાર્પણ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સી.આર.પાટીલે રજૂઆત કરી હતી. જેમાં બુડિયા-ગભેણી અંડરપાસથી લાખો મુસાફરોને રાહત મળશે.
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ક્રેડાઈ ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ક્રેડાઈ ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. તથા CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. કાર્યક્રમમાં ક્રેડાઈ ઇન્ડિયાના નવા પ્રમુખની નિયુક્તિ કરાશે. તથા નવા પ્રમુખ તરીકે શેખર પટેલની નિયુક્તિ કરવામાં આવશે.
આ પણ વાંચો: Rashifal 18 April 2025 : આ રાશિઓને ચંદ્રાધિ યોગથી ફાયદો થશે, જાણો આજનું તમારું રાશિફળ