ભારત સરકારે કેનેડીયન ગેંગસ્ટર Lakhbir Singh Landa ને આતંકવાદી જાહેર કર્યો
ભારત સરકારે શુક્રવારે કેનેડા સ્થિત ગેંગસ્ટર Lakhbir Singh Landa ને આતંકવાદી જાહેર કર્યો છે. ભારતીય ગૃહ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું છે કે લખવીર સિંહ લાંડા, જે નિરંજન સિંહ અને પરમિંદર કૌરના પુત્ર છે, તેમને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, 33 વર્ષીય ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)નો છે અને 2021માં મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ હુમલાની યોજનામાં સામેલ હતો.
Lakhbir Singh Landa આતંકવાદી જાહેર
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ શુક્રવારે કેનેડા સ્થિત ગેંગસ્ટર અને ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BIK)ના નેતા લખબીર સિંહ લાંડાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ "આતંકવાદી" તરીકે જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ, 33 વર્ષીય લખબીર સિંહ ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. એટલું જ નહીં, તે 2021માં મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર થયેલા રોકેટ હુમલામાં પણ સામેલ હતો. લખબીર મૂળ પંજાબના તરનતારનનો છે. તે 2017માં કેનેડા ભાગી ગયો હતો. લખબીર સિંહ પાકિસ્તાનમાં બેઠેલા બબ્બર ખાલસા નેતા હરવિંદર સિંહ રિંડાનો પણ નજીકનો માનવામાં આવે છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ લખબીર સિંહ લાંડા કે જેઓ હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનનો રહેવાસી છે. તે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે.
પોલીસે દરોડા પાડ્યા હતા
સપ્ટેમ્બર 2023માં પંજાબ પોલીસે લાંડાના સહયોગીઓ સાથે જોડાયેલા 48 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, એક વેપારી પર જીવલેણ હુમલાના સંદર્ભમાં પોલીસે આ દરોડો પાડ્યો હતો. વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે તેને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે લાંડાની નજીક હોવાનો દાવો કર્યો હતો. આ પછી તેણે 15 લાખ રૂપિયાની માંગણી કરી. પોલીસે દરોડા બાદ કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.
Home Ministry declares Canada-based gangster Lakhbir Singh Landa as terrorist
Read @ANI Story | https://t.co/C4rXyBPY4x#LakhbirSinghLanda #terrorist #HomeAffairsMinistry #Canada #India pic.twitter.com/iUrt07TDeZ
— ANI Digital (@ani_digital) December 30, 2023
કોણ છે લખબીર સિંહ લાંડા?
લખબીર સિંહ લાંડા મૂળ પંજાબનો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં રહે છે. તે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં સામેલ છે. પંજાબ પોલીસે કેનેડા સ્થિત આતંકવાદીના નજીકના સહયોગીઓ સાથે જોડાયેલા 48 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એક વેપારી પર બે હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીએ જણાવ્યું હતું કે તેને કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે પોતાને લાંડા હરિકે હોવાનો દાવો કર્યો હતો અને 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. દરોડા બાદ કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
Canada-based Babbar Khalsa's Lakhbir Singh Landa declared a terrorist by Ministry of Home Affairs. pic.twitter.com/iz2eNhpxyt
— ANI (@ANI) December 30, 2023
2017 માંલખબીર સિંહ લાંડા કેનેડા ભાગ્યો હતો
તરનતારન જિલ્લાનો રહેવાસી લખબીર સિંહ લાંડા છેલ્લા 11 વર્ષથી પોલીસ માટે ગળાની હડ્ડી બની ગયો છે. તે 2017માં કેનેડા ભાગી ગયો હતો અને તેની સામે 18 કેસ નોંધાયેલા છે. પંજાબમાં, તરનતારન પોલીસે વર્ષ 2022માં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા લાખા સિધાના અને કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા સહિત 11 લોકો સામે ખંડણીની માંગણી અને સરહદ પારથી હથિયાર અને ડ્રગ્સની દાણચોરીનો કેસ નોંધ્યો હતો. તરનતારન પોલીસે 2 સપ્ટેમ્બરે આ કેસ નોંધ્યો હતો અને કોઈને તેની જાણ થવા દીધી ન હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ગુંડાઓના સમર્થકોએ સોશિયલ મીડિયા પર તેને નકલી ગણાવીને અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો - PM મોદી આજે રામનગરીને આપશે 15,700 કરોડ રૂપિયાની ભેટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ