ખુશીના સમાચાર,RBI કરી શકે છે વ્યાજ દરોમાં ઘટાડો!
- આર્થિક વૃદ્ધિના આંકડામાં તીવ્ર ઘટાડો
- RBI કરી શકે છે વ્યાજ દરોમાં ઘટાડો
- શક્તિકાંત દાસ 6 ડિસેમ્બરે જાહેરાત કરશે
- RBIવ્યાજદરમાં 0.25 ટકા ઘટવાની સંભાવના
RBI:આર્થિક વૃદ્ધિના આંકડામાં તીવ્ર રીતે ઘટાડો અને અર્થતંત્રની ગાડી પૂરપાટ ઝડપે દોડે તે માટે ચોતરફથી વ્યાજદરમાં કાપ અંગેની માંગ છતાં મોનેટરી પોલિસી કમિટિ (એમપીસી) માટે રેટ કટ એક પડકાર બની રહેશે.નિષ્મતોના મતે આ વખતે પણ RBI વ્યાજદરમાં ઘટાડો કરે એવી શક્યતા ઓછી છે અને જો આમ થશે તો ઇએમઆઇમાં ઘટાડાની રાહ જોતા લોનધારકો સતત અગિયારમી વાર નિરાશ થશે. ચોથી ડિસેમ્બરથી છ ડિસેમ્બર વચ્ચે મધ્યસ્થ બેંકની નાણાં સમિતિની બેઠક યોજાનારી છે ત્યારે ફરી એક વખત વ્યાજદરનો મુદ્દો ચર્ચિત બન્યો છે. નાણાંકીય વર્ષ 2024-25ના બીજા કવાર્ટર માટે જીડીપી વૃદ્ધિનો જે અંદાજ રજૂ કરાયો હતો તેના કરતાં પણ આંકડા નીચા રહ્યાં હતા.
શક્તિકાંત દાસ 6 ડિસેમ્બરે જાહેરાત કરશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ(shaktikanta das)ની અધ્યક્ષતામાં છ સભ્યોની MPCની બેઠક 4 થી 6 ડિસેમ્બર દરમિયાન મળવાની છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ 6 ડિસેમ્બરે સમિતિના નિર્ણયની જાહેરાત કરશે. લગભગ તમામ વિશ્લેષકોએ ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના વૃદ્ધિ દરના અંદાજમાં સુધારો કર્યો છે. કેટલાક વિશ્લેષકોનો અંદાજ છે કે તે ઘટીને 6.3 ટકા થશે, જ્યારે મધ્યસ્થ બેન્કે 7.2 ટકાનો અંદાજ મૂક્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, "તે વધુ સારું છે કે બીજા ક્વાર્ટરના વિકાસના ડેટાને જોતા, નાણાકીય નીતિના સ્તરે વ્યાજ દરોમાં ઘટાડો કરવા જેવી કોઈ 'ઉતાવળ પ્રતિક્રિયા' નથી. "આ એટલા માટે છે કારણ કે હેડલાઇન ફુગાવો હજુ પણ અસ્વસ્થતાના સ્તરે છે, જોકે તે નવેમ્બરથી મધ્યમ થવાની ધારણા છે.
આ પણ વાંચો -Share Market : આજે આ શેરોમાં તેજીની સંભાવના! કંપનીઓને મળ્યા મોટો ઓર્ડર
RBI વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે
જોકે, તેમણે કહ્યું કે આરબીઆઈએ તેની લિક્વિડિટી વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. જર્મન બ્રોકરેજ કંપની ડોઇશ બેન્કના અર્થશાસ્ત્રીઓએ પણ ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરી છે. જોકે, તેમણે કહ્યું કે આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં CRRમાં ઘટાડો કરવો 'યોગ્ય' છે. HSBCના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી અને એપ્રિલમાં યોજાનારી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવી શકે છે. અમેરિકન બ્રોકરેજ કંપની બોફા ગ્લોબલ રિસર્ચએ પણ કહ્યું કે આરબીઆઈ શુક્રવારે રેપો રેટ 6.5 ટકા પર રાખશે, એકંદર ફુગાવો 6 ટકાના લક્ષ્યાંકને વટાવી ગયો છે.
આ પણ વાંચો -LPG Price Hike: ડિસેમ્બરના પહેલા જ દિવસે મોંઘવારીનો માર!
MPC પર શા માટે રેટ કટનું દબાણ?
બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ અંદાજ કરતાં ઓછી 5.4 ટકાના સ્તરે રહી હતી, ફુગાવામાંથી ફૂડ પ્રાઈઝને બાકાત કરવા કોમર્સ મંત્રી પિયુષ ગોયલનું સૂચન, રોકાણ અને વૃદ્ધિ દર વધારવા વ્યાજ દર હળવા કરવાં કેન્દ્રીય નાણાં મંત્રીની તરફેણ