Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kashi Vishwanath ના નામે ભક્તો સાથે છેતરપિંડી, પંડિતજીનો નંબર આપી પૈસા માંગ્યા...

વારાણસીના કાશી વિશ્વનાથ (Kashi Vishwanath) મંદિરની નકલી વેબસાઇટ બનાવીને ભક્તો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. દર્શન, આરતી અને રૂદ્રાભિષેકના નામે ભક્તો સાથે 10 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી કરી છે. જ્યારે ભક્તોએ મંદિરનો સંપર્ક કર્યો ત્યારે આ વાત સામે આવી. મામલો...
08:46 PM Jul 19, 2024 IST | Dhruv Parmar

વારાણસીના કાશી વિશ્વનાથ (Kashi Vishwanath) મંદિરની નકલી વેબસાઇટ બનાવીને ભક્તો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. દર્શન, આરતી અને રૂદ્રાભિષેકના નામે ભક્તો સાથે 10 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી કરી છે. જ્યારે ભક્તોએ મંદિરનો સંપર્ક કર્યો ત્યારે આ વાત સામે આવી. મામલો સામે આવ્યા બાદ કાશી ટ્રસ્ટના CEO એ DGP ને ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ માટે સાયબર નિષ્ણાતોનો સંપર્ક કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ સાવન મહિનામાં દર્શન માટે કાશી વિશ્વનાથ (Kashi Vishwanath) પહોંચે છે. સાયબર ગુનેગારોએ કાશી વિશ્વનાથ (Kashi Vishwanath) મંદિરના નામે નકલી વેબસાઈટ બનાવીને બુકિંગ શરૂ કર્યું હતું. જેમાં રૂદ્રાભિષેક સહિત દર્શન, પૂજા, આરતીનું બુકિંગ કરાયું હતું. હાલમાં, સાવનને કારણે મંદિરની મૂળ વેબસાઇટ પર તમામ પ્રકારના બુકિંગ બંધ છે. છેતરપિંડી કરનારાઓએ નકલી વેબસાઈટ એવી રીતે બનાવી છે કે શ્રદ્ધાળુઓને તેની ખબર પણ ન પડે. વેબસાઈટના વિઝિટર્સને ડાયરેક્ટ કોન્ટેક્ટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ભક્તે નકલી વેબસાઈટ પર લોગઈન કર્યા પછી, તેણે તેનો નંબર લીધો અને પૈસા સીધા તેના ખાતામાં લઈ લીધા. લિંક આવતા જ સાયબર ગુનેગારો પણ નવી એપ અપલોડ કરી રહ્યા છે.

પંડિતનો સંપર્ક કરવા વેબસાઇટ પર લખેલી માહિતી...

આ સિવાય ફેક વેબસાઈટ પર ક્લિક કરતાની સાથે જ હોમ પેજ ખુલશે. અહીં, પૂજા બુકિંગ પર ક્લિક કરતાની સાથે જ સ્થાનિક પંડિતજીનો સંપર્ક કરવા માટે લખવામાં આવે છે. આ ઉપરાંત 2 મોબાઈલ નંબર 091-09335471019/ 09198302474 પણ આપવામાં આવ્યા છે. ઠગ પંડિતજીના નંબર પરથી પણ ઓનલાઈન પૈસા મંગાવતા હતા.

મંદિરના CEO એ DGP ને ફરિયાદ કરી...

મંદિરના CEO વિશ્વભૂષણ મિશ્રાએ DGP પ્રશાંત કુમાર અને પોલીસ કમિશનર મોહિત અગ્રવાલને પત્ર લખ્યો છે. જેમાં મંદિરની નકલી વેબસાઈટ ડિલીટ કરવા અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વેબસાઇટ પર કાશીમાં આગમન પર દર્શન ઉપરાંત હોટલ, બોટ, ટુર, ટ્રાવેલ, ફ્લાઈટ્સ અને લોકલ ટેક્સીઓનું બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પહેલી જ ક્લિકમાં નંબર લઈને એજન્ટો ઑફલાઇન પણ સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે.

મંદિરનું ફેસબુક પેજ 3 મહિના પહેલા હેક થયું હતું...

ત્રણ મહિના પહેલા મંદિરનું ફેસબુક પેજ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે પેજનો પાસવર્ડ પણ બદલી નાખ્યો હતો અને સ્ટોરીમાં અશ્લીલ પોસ્ટ અપલોડ કરી હતી. જો કે, IT ટીમે પોસ્ટને ડિલીટ કરી અને 1 કલાકની અંદર પેજ પુનઃપ્રાપ્ત કર્યું.

આ પણ વાંચો : Jharkhand : પોલીસે જ કર્યો પોલીસ પર લાઠીચાર્જ, ઝારખંડમાં સર્જાયા અનોખા દ્રશ્યો...!

આ પણ વાંચો : Pooja Khedkar : ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, UPSC એ કર્યો કેસ...

આ પણ વાંચો : Chhattisgarh : પ્રખ્યાત થિયેટર કલાકાર મિર્ઝા મસૂદનું નિધન, CM સાઈએ શોક વ્યક્ત કર્યો

Tags :
Crimedevotees cheatedfake websiteFraudGujarati NewsIndiakashi vishwanathkashi vishwanath mandirNationalVaranasi
Next Article