Rajkot : ખોડલધામના ચેરમેન Naresh Patel ની કંપની સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. નરેશ પટેલની કંપનીને 40 કરોડ રૂ.નું આર્થિક નુકશાન પહોંચાડયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. મેટોડા ખાતે પટેલ બ્રાસ વર્ક નામની કંપની આવેલી છે. રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશન ખાતે કંપનીના ભૂતપૂર્વ કર્મચારી સહિત 5 વ્યક્તિઓ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
LCB ને તપાસ સોંપાઈ
આરોપીઓએ કંપનીની ડિઝાઇન અને ડ્રોઇંગમાંથી લોગો દૂર કરી પોતાની અંગત માલિકીની દર્શાવી અંગત ઉપયોગ કર્યો હતો. આ મામલે પોલીસે IPC 406, 408, 418, 465, 467, 468, 120 (B), કોપી રાઈટ એક્ટ તેમજ IT એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સમગ્ર તપાસ LCB PI ને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : AHMEDABAD : નિકોલ વિસ્તારમાં ઘરમાં પૂજા કરવાના બહાને પૂજારીએ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.