PM Mudra Yojana નામે અપાતી લોનની લાલચથી રહો સાવધ...Fact check
- પીએમ મુદ્રા યોજના સંબંધિત એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ
- આ પત્રમાં 3,00,000 રૂપિયા સુધીની લોનની મંજૂરી આપવાની લાલચ
- સરકારે આ મામલાની તપાસ કરી સ્પષ્ટતા કરી
- આ પત્ર નકલી છે, તેનો ભરોસો ના કરો
PM Mudra Yojana : સોશિયલ મીડિયા અમુક બાબતોમાં ફાયદાકારક બની રહે છે પણ તેના ફાયદા કરતા ગેરફાયદા હવે વધી ગયા છે. સોશિયલ મીડિયાના સહારે છેતરપિંડીના બનાવો વધી ગયા છે. સોશિયલ મીડિયા દ્વારા લોકોને સરળતાથી ગેરમાર્ગે દોરવામાં આવે છે અને લોકો છેતરપિંડીનો ભોગ બને છે. હમણા હમણા પીએમ મુદ્રા યોજના (PM Mudra Yojana) સંબંધિત એક પત્ર સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. આ પત્રમાં 3,00,000 રૂપિયા સુધીની લોનની મંજૂરી આપવાનું વચન આપવામાં આવી રહ્યું છે. વાંચો શું છે આ દાવાની સત્યતા!
પૈસા આપી લોન આપવામાં આવી રહી છે
જો નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો સરકાર તેમને તેમાં મદદ કરે છે. આ અંતર્ગત સરકાર કેટલીક લોન આપે છે જેની મદદથી તમે તમારો પોતાનો કોઈ પણ બિઝનેસ શરૂ કરી શકો છો. હવે ભારત સરકારની લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. એક પત્ર ફરતો થયો છે જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3,00,000 રૂપિયાની લોન લો. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો.
આ પણ વાંચો---Cyber Fraud : સાયબર ગુનેગારોએ દેશના મુખ્ય ન્યાયાધીશને પણ ન છોડ્યા! કેબ બુક કરાવવા માંગ્યા 500 રૂપિયા
સરકારી હકીકત તપાસ
An approval letter claims to grant a loan of ₹3,00,000 under the 𝐏𝐌 𝐌𝐮𝐝𝐫𝐚 𝐘𝐨𝐣𝐚𝐧𝐚 on payment of ₹36,500 as legal insurance charges #PIBFactCheck:
◾️This letter is #Fake
◾@FinMinIndia has not issued this letter
Read more: 🔗https://t.co/cQ5DW69qkT pic.twitter.com/8TLmQQ6htj
— PIB Fact Check (@PIBFactCheck) September 5, 2024
આ બનાવટી પત્રની નોંધ લેતા સરકારે તથ્ય તપાસ જારી કરી છે. જેમાં જનતાને આ છેતરપિંડી અંગે ચેતવણી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તથ્ય તપાસ શેર કરવામાં આવી છે. પત્રને શેર કરતી વખતે લખ્યું હતું કે એક મંજૂરી પત્ર આપવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પીએમ મુદ્રા યોજના હેઠળ છે અને 3,00,000 રૂપિયાની લોન મેળવવા માટે, કાનૂની વીમા માટે 36,500 રૂપિયા ચૂકવવા પડશે. આ પત્રને નકલી ગણાવતા લખવામાં આવ્યું હતું કે 'આ પત્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો નથી.'
શું છે પીએમ મુદ્રા યોજના?
આ યોજના નાના વેપારીઓ અથવા દુકાનદારોને મદદ કરવા માટે લાવવામાં આવી હતી જેઓ દેશમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. પીએમ મુદ્રા લોન યોજના એપ્રિલ 2015માં શરૂ કરવામાં આવી હતી. મુદ્રા લોન યોજના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ 10 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર લઈ શકે છે. આ લોન ચૂકવવા માટે સરકાર તમને 5 વર્ષ સુધીનો સમય આપે છે.
આ પણ વાંચો---Rajkot: ઇન્સ્યોરન્સ પોલીસીનામે છેતરપિંડીનું કૌભાંડ આવ્યું સામે