Khyati Hospital Scam : ફરાર ડાયરેક્ટરે આગોતરા જામીન અરજીમાં કર્યો મોટો દાવો! આ દિવસે કોર્ટનો ચુકાદો!
- Khyati Hospital Scam માં ડો. રાજશ્રી કોઠારીની આગોતરા જામીન માટે અરજી
- પોતાની કોઈ જ ભૂમિકા નહીં હોવાનો રાજશ્રી કોઠારીનો અરજીમાં દાવો
- રાજ્ય સરકારે રાજશ્રી કોઠારીની જામીન અરજીનો વિરોધ કર્યો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' મામલે (Khyati Hospital Scam) આરોપી રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. ખ્યાતિ કાંડમાં પોતાની કોઈ જ ભૂમિકા નહીં હોવાનો રાજશ્રી કોઠારીએ અરજીમાં દાવો કર્યો હતો. જો કે, રાજ્ય સરકારે રાજશ્રી કોઠારીની (Dr. Rajshree Kothari) જામીન અરજીનો વિરોધ કરી કહ્યું કે, તપાસનાં તબક્કે આગોતરા જામીન મંજૂર ન કરવા જોઈએ. આ મામલે હાલ ચુકાદો અનામત રાખ્યો છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ 5 ડિસેમ્બરે ચુકાદો સંભળાવશે.
આ પણ વાંચો - Surat : બહાર નીકળતા પહેલા ચેતજો! પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ વધુ એક યુવકનો ભોગ લીધો!
આરોપી રાજશ્રી કોઠારીની આગોતરા જામીન માટે અરજી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ કેસમાં (Khyati Hospital Scam) ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર ડૉક્ટર રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આ અરજી થકી ડૉક્ટર રાજશ્રી કોઠારીએ કહ્યું કે, આ કૌભાંડમાં તેમની કોઈ ભૂમિકા નથી. સાથે જ તેમણે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી. જ્યારે, બીજી તરફ રાજ્ય સરકારે ડૉક્ટર રાજશ્રી કોઠારીની અરજીનો પૂરજોર વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે, તપાસનાં તબક્કે આગોતરા જામીન મંજૂર ન કરવા જોઈએ. આ મામલે ગ્રામ્ય કોર્ટે (Ahmedabad Rural Sessions Court) ચુકાદો અનામત રાખ્યો છે.
આ પણ વાંચો - ખ્યાતિ કાંડમાં Shaktisinhની CBI તપાસની માગ
ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
માહિતી અનુસાર, આ મામલે હવે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ 5 ડિસેમ્બરે ચુકાદો સંભળાવશે. જણાવી દઈએ કે, ડોક્ટર રાજશ્રી કોઠારી વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાઈ છે. આ ત્રણેય કેસમાં ડોક્ટરે આગોતરા જામીનની માગ કરી છે. ડૉક્ટર રાજશ્રી કોઠારી હાલ પણ પોલીસ પકડથી દૂર છે. અગાઉ, આરોપી સંજય પટોળિયા (Sanjay Patoliya) દ્વારા આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી, જે અંગે આજે કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે.
આ પણ વાંચો - Mehsana : જમીન મુદ્દે સતલાસણામાં ખ્રિસ્તી મિશનરીઓ પર ગંભીર આરોપ! વાંચો શું છે મામલો ?