Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ હોટેલ બુક કરતા જ કપલનાં થઈ જાય છે Divorce!

નેધરલેન્ડની હોટલમાં કપલ્સ થાય છે છૂટાછેડા નેધરલેન્ડમાં એક હોટલ ડિવોર્સ તરીકે ઓળખાય છે માત્ર પરિણીત યુગલો જ બુકિંગ કરાવી શકે છે Divorce Hotel: આજકાલ આપણે ઘણી વાર એવી હોટેલ વિશે સાંભળીએ છીએ જ્યાં જઈને કપલ્સ રોમેન્ટિક થઈ જાય છે...
આ હોટેલ બુક કરતા જ કપલનાં થઈ જાય છે divorce
Advertisement
  • નેધરલેન્ડની હોટલમાં કપલ્સ થાય છે છૂટાછેડા
  • નેધરલેન્ડમાં એક હોટલ ડિવોર્સ તરીકે ઓળખાય છે
  • માત્ર પરિણીત યુગલો જ બુકિંગ કરાવી શકે છે

Divorce Hotel: આજકાલ આપણે ઘણી વાર એવી હોટેલ વિશે સાંભળીએ છીએ જ્યાં જઈને કપલ્સ રોમેન્ટિક થઈ જાય છે અને તેમના તમામ ઝઘડા ભૂલી જાય છે. પરંતુ શું તમે ક્યારેય એવી હોટેલ વિશે સાંભળ્યું છે જ્યાં કપલ્સ જઈને છૂટાછેડા લઈ લે છે. જી હા, તમે તે સાચું સાંભળ્યું. નેધરલેન્ડમાં એક હોટલ છે જે 'ડિવોર્સ હોટેલ' તરીકે ઓળખાય છે. આ હોટેલમાં માત્ર પરિણીત યુગલો જ બુકિંગ કરાવી શકે છે અને અહીં આવવાનો હેતુ તેમના સંબંધોને પૂર્ણ કરવાનો છે.

આ હોટલમાં થાય છે છૂટાછેડા

અમે વાત કરી રહ્યા છીએ નેધરલેન્ડની એસ હોટેલ (The Divorce Hotel) વિશે. આ હોટેલ નેધરલેન્ડના હર્મોન (Haarlem) શહેરમાં આવેલી છે. આને "The Separation Inn" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હોટેલનો મુખ્ય ઉદ્દેશ્ય એવા યુગલોને એકસાથે લાવીને છૂટાછેડાને સરળ બનાવવાનો છે જેઓ અલગ થવા માંગે છે, પરંતુ આ માટે લાંબા અને મુશ્કેલ કાયદાકીય માર્ગોમાંથી પસાર થઈને થાકી ગયા હોય છે. એસ હોટેલે એવું વાતાવરણ અને સિસ્ટમ બનાવી છે જે એક જ સમયે કાનૂની સલાહ, મનોવૈજ્ઞાનિક સમર્થન અને મધ્યસ્થી પૂરી પાડે છે, જેથી છૂટાછેડાની પ્રક્રિયા કોઈપણ તણાવ વિના ઝડપથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

Advertisement

Advertisement

આ હોટેલમાં રહેવાનું મુખ્ય આકર્ષણ એ છે કે અહીં આવતા કપલ્સને છૂટાછેડાની પ્રક્રિયા માટે સામાન્ય રીતે લાંબી કાનૂની લડાઈમાંથી પસાર થવું પડતું નથી. તેના બદલે, એસ હોટેલમાં 24 કલાકની અંદર જ છૂટાછેડાની પ્રક્રિયા પૂરી થઈ જાય છે અને યુગલોને લાંબી કોર્ટ કાર્યવાહીમાંથી પસાર થવું પડતું નથી. આ હોટલની અંદર શાંતિપૂર્ણ અને વ્યાવસાયિક વાતાવરણમાં બન્ને પાર્ટનર એક જ જગ્યાએ બેસીને મધ્યસ્થી (middle people), કાયદાકીય સલાહકારો અને મનોવૈજ્ઞાનિકોની મદદથી તેમના સંબંધોનો અંત લાવે છે.

આ પણ  વાંચો -શિયાળામાં આ ઘરગથ્થુ ઉપાયથી પાચનક્રિયાને મજબૂત કરી શકો છો

કેવી રીતે થાય છે હોટેલમાં બુકિંગ?

એસ હોટેલમાં બુકિંગ ફક્ત તે યુગલો માટે છે જેઓ પરિણીત છે અને તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો હોય. સામાન્ય રીતે છૂટાછેડા લેવા માંગતા યુગલોને ઔપચારિકતા માટે અહીં આવવું પડે છે. એસ હોટેલમાં આવ્યા બાદ યુગલોને પ્રોફેશનલ મદદ મળે છે, જે તેમના છૂટાછેડાની પ્રક્રિયાને સમાપ્ત કરવામાં મદદ કરે છે.

આ પણ  વાંચો -ભારતની સૌથી ધનિક મહિલા YouTuber,આટલા વીડિયોએ બનાવી કરોડપતિ

બન્ને પાર્ટનર્સ એક સાથે બેસીને પ્રક્રિયાને સમજી શકે છે

હોટેલની અંદર છૂટાછેડા દરમિયાન બન્ને પાર્ટનર્સ એક સાથે બેસીને પ્રક્રિયાને સમજી શકે છે અને પછી સંમતિ ફોર્મ પર સહી કરી શકે છે, જે તેમના સંબંધોને કાયદેસર રીતે સમાપ્ત કરે છે. જ્યાર બાદ એક કાનૂની દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે અને બન્ને પાર્ટનર છૂટાછેડા લે છે, જે તેમના માટે માનસિક અને ભાવનાત્મક રીતે મોટી રાહત ભરેલ હોય છે.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનું કહેતા રહસ્ય સર્જાયું

featured-img
Top News

Terror in PAK: પાકિસ્તાનમાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યા, ક્વેટામાં જમિયતના મુફ્તી અબ્દુલ પર ગોળીબાર

featured-img
Top News

Weather Today : ઉનાળો આવી ગયો છે છતાં આ રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી

featured-img
Top News

Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

×

Live Tv

Trending News

.

×