Delhi ના CM અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, રાઉઝ એવન્યુ કોર્ટે આપી રાહત...
દિલ્હી (Delhi)ના CM અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી (Delhi) દારૂ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હી (Delhi)ની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. મળતી માહિતી મુજબ કેજરીવાલને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર આ જામીન મળ્યા છે.
આ પહેલા 19 જૂનના રોજ કોર્ટે અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજીને ફગાવી દીધી હતી. સુનાવણી બાદ રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી હતી. જો કે, આજે ગુરુવારે, 20 જૂને, કોર્ટે કેજરીવાલને રાહત આપી હતી અને તેમને 1 લાખ રૂપિયાના જામીન પર જામીન આપ્યા હતા.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામીન...
જાણકારી અનુસાર, વિશેષ ન્યાયાધીશ જસ્ટિસ બિંદુએ અરવિંદ કેજરીવાલના જામીનના આદેશ પર 48 કલાક માટે રોક લગાવવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતીને પણ ફગાવી દીધી હતી. કેજરીવાલ દ્વારા નિયમિત જામીન માટે દાખલ કરવામાં આવેલી અરજી પર ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે આ આદેશ આપ્યો હતો.
AAP એ શું કર્યું?
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખુશીની લહેર છે. કેજરીવાલને જામીન મળ્યા બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ X પર ટ્વીટ કર્યું અને લખ્યું કે સત્યમેવ જયતે. એવું માનવામાં આવે છે કે કેજરીવાલ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવી શકે છે.
આ પણ વાંચો : ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું મોટું નિવેદન, કહ્યું- NEET પરીક્ષા નહીં થાય રદ્દ…
આ પણ વાંચો : NEET વિવાદ મામલે રાહુલ ગાંધી પર ભડકી BJP, રાજસ્થાનમાં પેપર લીકની અપાવી યાદ…
આ પણ વાંચો : 65 ટકા અનામત કાયદો રદ્દ થવા પર Jitan Ram Manjhi એ કહ્યું- આ વંચિતોનો અધિકાર છે આને…