Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi : Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, 107 મુસાફરો હતા સવાર...

Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તેની તપાસ કરવામાં આવી મુસાફરોને બચાવીને સેફ ઝોનમાં લઈ જવામાં આવ્યા જ્યારે એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી ત્યારે એરલાઈન્સ, એરપોર્ટ સ્ટાફ અને મુસાફરોમાં...
07:38 AM Sep 04, 2024 IST | Dhruv Parmar
  1. Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ
  2. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તેની તપાસ કરવામાં આવી
  3. મુસાફરોને બચાવીને સેફ ઝોનમાં લઈ જવામાં આવ્યા

જ્યારે એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી ત્યારે એરલાઈન્સ, એરપોર્ટ સ્ટાફ અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. દિલ્હીથી વિશાખાપટ્ટનમ જતી એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો, પરંતુ ધમકી ખોટી નીકળી. આ ઘટના મંગળવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી. ફ્લાઇટ હવામાં હતી ત્યારે વિશાખાપટ્ટનમ એરપોર્ટ સ્ટાફને ધમકીભર્યો કોલ મળ્યો હતો. આથી ફ્લાઈટ વિશાખાપટ્ટનમમાં લેન્ડ થતાની સાથે જ તેને ઘેરી લેવામાં આવી હતી અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. મુસાફરોને બચાવીને સેફ ઝોનમાં લઈ જવામાં આવ્યા હતા. મુસાફરોના સામાનની પણ તલાશી લેવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ બાબતની જાણ વિશાખાપટ્ટનમ એરપોર્ટના ડાયરેક્ટર એસ રાજા રેડ્ડીએ કરી હતી. તેણે પોતે પોલીસને ફરિયાદ આપી છે અને અજાણ્યા વ્યક્તિ સામે ધમકીનો કેસ નોંધ્યો છે.

દિલ્હી પોલીસ અને એરપોર્ટ સ્ટાફનો ફોન આવ્યો...

વિશાખાપટ્ટનમ એરપોર્ટના ડાયરેક્ટર એસ રાજા રેડ્ડીએ જણાવ્યું કે એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટ A1471 મોડી રાત્રે દિલ્હીથી વિશાખાપટ્ટનમ માટે ટેકઓફ થઈ હતી, પરંતુ ફ્લાઈટ ટેકઓફ થતાની સાથે જ દિલ્હી પોલીસ અને એરપોર્ટ સ્ટાફને ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ જાહેર કર્યું નથી, પરંતુ તેણે કહ્યું કે ફ્લાઈટમાં બોમ્બ હતો. તેણે ધમકી આપી હતી કે એર ઈન્ડિયા (Air India)ની જે ફ્લાઈટ હમણાં જ ટેકઓફ થઈ હતી તેની અંદર બોમ્બ હતો. ફ્લાઈટ લેન્ડ થતાં જ બોમ્બ વિસ્ફોટ થશે અને તમામ લોકો માર્યા જશે. જો તમે તેને બચાવી શકો, તો તેને બચાવો. ફોન કોલ આવતા જ એરપોર્ટ સ્ટાફ ગભરાઈ ગયો હતો. દિલ્હી પોલીસ પણ બોમ્બ અને ડોગ સ્કવોડ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. એરપોર્ટ પર ઈમરજન્સી કોલ આપીને મુસાફરોને એરપોર્ટની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. ઉપરાંત, તેમના સામાન અને એરપોર્ટના દરેક ખૂણે-ખૂણે સર્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Rajouri માં આતંકવાદીઓએ Indian Army પર કર્યો ગોળીબાર

પોલીસ ધમકી આપનાર વ્યક્તિનો ફોન નંબર ટ્રેસ કરી રહી...

ડાયરેક્ટર રેડ્ડીના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ અધિકારીઓએ એર ઈન્ડિયા (Air India) એરલાઈનના અધિકારીઓને આ મામલાની જાણકારી આપી અને તેમને એલર્ટ કરી દીધા. આ દરમિયાન ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ તેને ઘેરી લેવામાં આવી હતી, પરંતુ તલસ્પર્શી તપાસ બાદ પણ જ્યારે પ્લેનની અંદરથી કંઈ ન મળ્યું ત્યારે પોલીસે તેને ફેક કોલ ગણાવ્યો હતો. ગભરાટ ફેલાવવા માટે કોઈએ તોફાન કર્યું હતું. દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઈ રહેલી એર ઈન્ડિયા (Air India)ની આ ફ્લાઈટમાં 107 મુસાફરો સવાર હતા, જેમની વચ્ચે આ બાબતની જાણ થતાં ગુસ્સો જોવા મળ્યો હતો. મોડી રાત્રે ફ્લાઇટને સંપૂર્ણ સુરક્ષા હેઠળ દિલ્હી પરત મોકલવામાં આવી હતી, પરંતુ પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધવામાં વ્યસ્ત છે. જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Kolkata રેપ-મર્ડર કેસમાં 26 દિવસ બાદ હોસ્પિટલના આચાર્યને કર્યા સસ્પેન્ડ

Tags :
Air India flightAir India Flight Bomb ThreatAir-IndiaBomb ThreatBomb Threat CallDelhi to Visakhapatnam FlightGujarati NewsIndiaNational
Next Article